Webdunia - Bharat's app for daily news and videos

Install App

2002 રમખાણો - સરદારપુરા કાંડમાં હાઈકોર્ટે 14ને નિર્દોષ છોડ્યા, 17ને દોષિત ઠેરવ્યા

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (00:01 IST)
2002માં થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોમાં 33 લોકોની જેમાં હત્યા કરાઈ હતી તેવા સરદારપુરા રમખાણ કેસમાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં મહેસાણાની નીચલી કોર્ટે કુલ 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓ દ્વારા 2012માં મહેસાણાની નીચલી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતા કોર્ટે દોષિત ઠેરવાયેલા 31 આરોપીઓમાંથી 14ને પુરાવાના અભાવે મુક્ત કર્યા છે, જ્યારે 17ને દોષિત ઠેરવ્યા છે. આ ઘટનાની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. 2002ના આ કેસમાં 33 બાળકો અને મહિલાઓને જીવતા સળગાવવામાં આવ્યાં હતાં. સરદારપુરા હત્યાકાંડને 1500 લોકોના ટોળાંએ અંજામ આપ્યો હતો. જેમાંથી 73ની સામે રાયોટિંગ, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના આરોપ મૂકાયા હતા. જેમાંથી મહેસાણાની નીચલી કોર્ટે 31 આરોપીઓને દોષિત ઠેરવી તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, આરોપીઓ દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતાં કોર્ટે 14ને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments