Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો.આંબેડકરની મૂર્તિના ચશ્મા ચોરાતા ઉશ્કેરાયેલા લોકોએ હલ્લો બોલાવ્યો

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (17:34 IST)
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. ચોરીની ઘટના બનતા આસપાસના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ એક એસટી બસને ઘેરી લીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરા પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. આ ઘટનાનો રોષ સ્થાનિક લોકોમાં એટલો વધી ગયો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ એક એસ.ટી. બસ પર પથરાવ કર્યો હતો. ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળા અને રસ્તા પર હલ્લો મચાવી રહેલા લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી આ જ પ્રકારે ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. જેને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments