Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચમહાલ જિલ્લાની પોલીસ ગુજરાતની સૌપ્રથમ કેશલેશ પોલીસ બની

પંચમહાલ જિલ્લાની પોલીસ ગુજરાતની સૌપ્રથમ કેશલેશ પોલીસ  બની
Webdunia
શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (12:49 IST)
દેશમાં નોટબંધીના અમલ પછી રાજ્યમાં પંચમહાલ જિલ્લાની પોલીસ રાજ્યની પ્રથમ કેશલેશ પોલીસ બની છે. નોટબંધીની અમલવારીના ભાગરૃપે પંચમહાલ જિલ્લાની પોલીસ હવે કેશલેશ બની ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેશલેશ વ્યવહારના દેશવ્યાપી આદેશની શરૂઆત પંચમહાલ જિલ્લાની પોલીસ શરૂ કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ નેશનલ પોલીસ એકેડેમી યોજાયેલી ડીજીપી પોલીસ મીટમાં કેશલેશ વ્યવહાર ઉપર ભાર આપ્યો હતો અને તેની શરૂઆત કરવા આહવાન કર્યુ હતુ. વડાપ્રધાનના કેશલેશ આહવાનની પંચમહાલ જિલ્લાની ૧૦૦૦ પોલીસ અને ૧૦૦ વહીવટી સ્ટાફે કેશલેશની શરૂઆત શરૂ કરી દીધી છે. કેશલેશ માટે જિલ્લાની તમામ પોલીસને બેંકો દ્ધારા તાલીમ આપવામાં આવી હતી. હવે જિલ્લાની પોલીસ લોકો સુધી કેશલેશના વ્યવહારને કેવી રીતે પહોંચાડી શકાય તેની તૈયારી શરૂઆત કરી દીધી છે.પંચમહાલ ડીએસપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યુ હતું કે પંચમહાલ જિલ્લાની પોલીસને નોટબંધી બાદ કેશલેશ બેંકના અધિકારીઓ દ્વારા બે દિવસની કેવી રીતે કેશલેશ વ્યવહારો થઇ શકે. તેની તાલીમ આપવામાં આવી હતી. ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને પેટીએમથી કેવી રીતે નાણાંકીય વ્યવહારો કરી શકાય તેની તાલીમ આપવામા આવી હતી. અને કેશલેશ વ્યહવારોના ફાયદા અંગે પણ પોલીસને જાગૃત કરવામાં આવી હતી. હવે જિલ્લાની પોલીસ લોકોને પણ કેશલેશના ફાયદાની તાલીમ આપશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments