Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમય અને સ્થળ બતાવી દેજો હુ જાતે માર ખાવા આવી જઈશ - કેજરીવાલ

Webdunia
બુધવાર, 8 જાન્યુઆરી 2014 (15:18 IST)
P.R
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાઝિયાબાદમાં આમ આદમી પાર્ટીના ઓફિસ પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે જો મને મારવાથી કાશ્મીર મુદ્દો હલ થઈ શકતો હોય તો સમય અને સ્થળ બતાવી દેજો હુ માર ખાવા આવી જઈશ.

યૂપીના ગાઝિયાબાદમાં પાર્ટી ઓફિસ પર થયેલ હુમલાને દુ:ખદ બતાવતા કેજરીવાલે કહ્યુ, 'અમે આ ઘટનાની ખૂબ જ નિંદા કરીએ છીએ. છેવટે હુમલો કરનારા શુ ઈચ્છે છે ? ભગવાનનુ નામ લેતા આવો હુમલો કરવો આશ્ચર્યજનક છે હું પણ હિન્દુ છુ, ભગવાન ક્યારેય નહી ઈચ્છતા હોય કે તેમના નામે આ રીતે કોઈના ઘર કે ઓફિસમાં ઘુસીને હુમલો કરો.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે પ્રશાંત ભૂષણના નિવેદન પર ખોટી રાજનીતિ થઈ રહી છે. તેમણે કહ્યુ, 'જો પ્રશાંત ભૂષણ કે મને મારવાથી કાશ્મીર સમસ્યાનું સમાઘાન થઈ શકે છે તો સ્થળ અને સમય બતાવી દો, હુ ત્યા આવી જઈશ. તેમણે કહ્યુ કે અમારા મનમાં બદલાની ભાવના નથી.

પ્રશાંત ભૂષણના નિવેદનને લઈને તેમણે ફરી એકવાર હાથ ખંખેર્યા. કેજરીવાલે કહ્યુ, 'કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે. ક્યા સેનાની ગોઠવણ કરવાની છે અને ક્યા નહી એ આંતરિક સુરક્ષાનો મુદ્દો છે. તેમા સરકારને ગોઠવણી કરવાનો અધિકાર છે, પણ જનભાવનાઓનું પણ સન્માન થવુ જોઈએ.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments