શિવસેના મુખપત્ર “સામના”માં ‘ઈશરત મેવ જયતે” શિર્ષકથી છપાયેલા સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પર તુષ્ટીકરણની રાજનીતિ ઉપરાંત સીબીઆઈનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
શિવસેનાએ કહ્યુ હતુ કે આ મામલે નવ વર્ષ પછી સીબીઆઈએ જે રીતે ચાર્જશીટ રજૂ કરી છે. તેનાથી જ લાગે છે કે સીબીઆઈએ કોંગ્રેસ સરકારની ચાકરી કરવાનું જ કામ કર્યુ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા સંપાદકીયમાં લખ્યુ છે કે ખતરનાક આતંકવાદીને શહીદ કહેવાનું પરાક્રમ આ દેશમાં માત્ર કોંગ્રેસીઓ જ કરી શકે એમ છે. શિવસેનાએ કહ્યુ હતુ કે આ દેશમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આતંકી ગણાવાય છે પરંતુ ઈશરત કેમકે બુરખાધારી મુસ્લિમ છે તેથી તેને નિર્દોષ સાબિત કરવા તમામ પ્રયાસો કોંગ્રેસ કરે છે. હિંદુ-મુસ્લિમોને અલગ-અલગ કરીને કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે.