જો કે હાલમાં લદ્દાખમાં સર્જાયેલી પરિસ્થિતીની વિપરીત અસર સંબંધો મજબૂત કરવાની દિશામાં થઇ રહેલા પ્રયત્નો પર કેવી અસર કરશે તેના પર સૌની નજર છે. જ્યારે બીજી બાજુ દિલ્હી અને જંતર-મંતર ખાતે તિબ્બટનાં સમર્થકોએ ચીનનાં વડાપ્રધાન લી કચીયાંગની મુલાકાતનો વિરોધ કર્યો છે.
ચીનનાં વડાપ્રધાન લી કચીયાંગે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ભારતની પસંદગી કરી છે. જેમાં ભારત સાથે સંબંધો મજબૂત કરવાનાં પ્રયાસનાં ભાગરૂપે જોવામા આવે છે.