Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તનવીએ મારી પલટી, હવે બોલ્યા મોદીના હાથ લોહીથી ખરડાયેલ !!

Webdunia
સોમવાર, 4 માર્ચ 2013 (15:35 IST)
P.R
નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા પર મુસલમાનોને કોઈ વાંધો નથી આવુ નિવેદન આપ્યા બાદ જ સોમવારે દારુલ ઉલૂમ દેવનંદના પૂર્વ કુલપતિ ગુલામ મુહમ્મદ વસ્તાનવીએ કહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદીના હાથ લોહીથી ખરડાયેલ છે. તેથી તેઓ પ્રધાનમંત્રી બનવા માટે યોગ્ય ઉમેદવાર નથી.

તેઓએ પોતાના નવા નિવેદનમાં કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીના હાથ લોહીથી ખરડાયેલા છે. તેથી તેઓ વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર નથી. અમેરીકામાં મોદીનું એક પ્રવચન રદ થવાના કિસ્સાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે મુસ્લિમો જ નહિં પરંતુ હિંદુઓનો પણ એક હિસ્સો મોદીને સ્વીકારતો નથી. ગુજરાતમાં મોદીને વિકાસ કરવા બદલ મુસલમાનો વોટ આપ્યો એ સાચુ પણ પ્રધાનમંત્રી પદ માટે તેઓ ફિટ નથી.

ઉલ્લેખનીય છે કે દારૂલ ઉલુમ દેવબંધના પૂર્વ વાઈસ ચાન્સેલર ગુલામ મોહમ્મદ વસ્તાનવીએ તાજેતરમાં જ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જો જનતા વડાપ્રધાન તરીકે ચૂંટે તો મુસ્લિમોને કોઈ વાંધો નહીં હોય.

તેઓએ કહ્યું હતું કે જો આપણો દેશ મોદીને વડાપ્રધાન બનાવે તો અમારા તરફથી કોઈ ઈનકાર નહીં હોય. ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિના જવાબમાં વસ્તાનવીએ કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષથી અહીં ભાજપ શાસન કરે છે. જો એ મુસ્લિમોના ઉત્કર્ષ માટે કામ કરે છે તો મુસ્લિમો તેમને સમર્થન આપશે. જો એવું નહીં બને તો તેઓ તેમનાથી દૂર થઈ જશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments