Webdunia - Bharat's app for daily news and videos

Install App

મરાઠવાડા 'નવુ પાકિસ્તાન' અને 'આતંકવાદીઓનું' શરણસ્થળ - શિવસેના

Webdunia
ગુરુવાર, 28 જૂન 2012 (12:54 IST)
P.R
શિવસેના અધ્યક્ષ બાલ ઠાકરેએ મહારાષ્‍ટ્રના મરાઠવાડા ક્ષેત્રને આતંકવાદીઓના શરણસ્થળમાં ફેરવાઇ જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પક્ષના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં તેમણે લખ્યું છે કે એક સમયે સંતોની ભૂમિ રહેલું મરાઠવાડા હવે ઝડપથી નવું પાકિસ્તાન બની રહ્યું છે. અહીંની જમીન પર હવે આતંકવાદનો પાક લહેરાઇ રહ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા હિરાસતમાં લેવાયેલો અબુ જિંદાલ મરાઠવાડા વિસ્તારના બીડ જિલ્લાનો રહેવાસી છે.

ઠાકરેએ લખ્યું છે કે કેન્દ્ર અને મહારાષ્‍ટ્ર સરકારના ગૃહ અને ગૃપ્તચર વિભાગની સુસ્તીને લીધે મરાઠવાડા આતંકવાદીઓની ભરતીનું કેન્દ્ર બની રહ્યું છે. દેશમાં જ્યાં પણ આતંકી હુમલો થાય છે તેનું કનેક્શન આ વિસ્તાર સાથે જ સંકળાયેલું હોય છે. ઘાટકોપરમાં થયેલા બોમ્બ વિસ્ફોટનું કાવતરું સંભાજીનગર અનને પરભણીમાં રચાયું હતું. ર૬/૧૧ના હુમલાનો સૂત્રધાર પણ મરાઠવાડાનો જ છે. જેલમાં બેદ જબીઉદ્દીનના સાથીઓ અબ્દુલ અઝીઝ, મોમિન મોહમ્મદ, અખીલ અને અબ્દુલ સમદ પણ બીડના જ છે.

ઠાકરેએ લખ્યું છે કે, આરએસએસના મુખ્યાલયમાં બોમ્બ રાખનારો હિજબુલનો આતંકી પણ સંભાજીનગરનો જ હતો. સિમીના સ્થાપક સફદર નાગોરીનું નેટવર્ક પણ મરાઠવાડામાં ફેલાયેલું છે. તેમણે કહ્યું કે, મરાઠવાડામાં જન્મ લઇ રહેલું નવું પાકિસ્તાન મહારાષ્‍ટ્ર જ નહીં પણ આખા દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments