Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ સેમીફાઈનલ નિશાન પર હતી - જિંદાલ

Webdunia
શુક્રવાર, 29 જૂન 2012 (17:28 IST)
P.R
મુંબઇ હુમલામાં સામેલ લશ્કર-એ તૈયબાના આતંકી અબુ જિંદાલે તપાસ એજન્સીઓની પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જિંદાલે જણાવ્યું છે કે ક્રિકેટ વિશ્વકપ દરમિયાન મોહાલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સેમીફાઇનલ રમાઇ હતી તે લશ્કર-એ-તૈયબાના નિશાના પર હતી અને તેના પર આતંકી હુમલો કરવાની યોજના હતી.

જિંદાલના જણાવ્યા મુજબ, લશ્કર-એ-તૈયબાએ આ મેચ દરમિયાન આતંકી હુમલાની યોજના બનાવી હતી. આ મેચને ભારતીય વડાપ્રધાન મનમોહન અને પાકિસ્તાનના વડાપ્રધાન ગિલાની એકસાથે બેસીને જોવાના હતા. જિંદાલે કહ્યું કે, મેચના સ્થળે વિસ્ફોટ કરવા માટે તે કેમિકલ વિસ્ફોટક જમા કરી રહ્યો હતો પણ અંત સમયે આઇએસઆઇના એક ઉચ્ચ અધિકારીએ તેને આ યોજના રોકવા માટે કહ્યું હતું. આ અધિકારીએ કહ્યુંકે મેચ પર કરાનારો આ હુમલો અને એમાંય બંને વડાપ્રધાનની હાજરીમાં થશે તો તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

જિંદાલે કહ્યું કે તે સાઉદી અરબમાંથી આ યોજના પર પ્લાન બનાવી રહ્યો હતો. તેને કહેવાયું હતું કે આ હુમલામાં સામેલ તમામ આતંકી ભારતીય હોવા જોઇએ કેમ કે પાકિસ્તાન હવે કસાબની જેમ વધુ બદનામી સહન કરી શકે તેમ નથી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments