Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા જય ગુરુદેવ આશ્રમ પર વર્ચસ્વ મુદ્દે આરપારની લડાઇ

Webdunia
ગુરુવાર, 7 જૂન 2012 (13:21 IST)
P.R
બાબા જય ગુરુદેવ આશ્રમ પર વર્ચસ્વ મુદ્દે હવે આરપારની લડાઇ છેડાઇ ચૂકી છે. ઉમાકાંત તિવારીના જૂથે ૧૦ જૂને ઝંડા અને ડંડા લઇને આશ્રમ પર કબજો જમાવવાનું એલાન કરી દેતાં તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. જિલ્લા વહીવટી તંત્રએ તેમના સમર્થકોને રોકવા માટે અલગ-અલગ વિસ્તારોના જિલ્લા તંત્રોને પત્ર લખ્યા છે. તેમના નિશાન પર ૧૧ જનપદના જિલ્લા પ્રમુખ છે.

તો બીજી તરફ તિવારીના સમર્થકો જેલ ભરો આંદોલનની તૈયારીમાં લાગી ગયા છે. નોંધનીય છે કે, બાબાના નિધન બાદ તેમની સંપત્તિ મુદ્દે બાબાના અનુયાયીઓ બે જૂથમાં વહેંચાઇ ગયા છે. મથુરા શહેર મેજિસ્ટ્રેટ રાકેશચંદ્ર શર્મા તરફથી બુધવારે સંબંધિત જનપદોને ફેક્સ દ્વારા સંદેશા મોકલી દેવાયા છે. તેમાં સ્પષ્ટ્ છે કે ઉમાકાંત તિવારીએ અજેમરમાં એક સત્સંગ દરમિયાન એલાન કર્યું છે કે ૧૦ જૂને તેમના સમર્થકો ઝંડા અને ડંડા લઇને મથુરા જય ગુરુદેવ આશ્રમ પહોંચીને તેની પર કબજો કરી લે.

શહેર મેજિસ્ટ્રેટ દ્વારા જે જિલ્લા પોલીસ તંત્રોને આ અંગે જાણ કરીને જે-તે જિલ્લાનાં અનુયાયી જૂથોને ૧૦ જૂને મથુરા આવતાં રોકવા માટે જાણ કરાઇ છે. પરંતુ ખાસ વાત એ છે કે મેજિસ્ટ્રેટ દ્વારા જે જિલ્લાનાં જનપદોને ફેક્સ દ્વારા સંદેશા પાઠવાયા છે તેમાં ઉમાકાંત તિવારીનું નામ સામેલ નથી. ઉમાકાંત તિવારીએ આ અંગે કહ્યું કે, અનુયાયીઓને તંત્રની આ કાર્યવાહીથી ભયભીત ન થવા માટે જણાવાયું છે.

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

Show comments