Webdunia - Bharat's app for daily news and videos

Install App

પકડાયેલા બધા આતંકી એક જ સમુદાયના કેમ ? ગિરીરાજ

Webdunia
બુધવાર, 14 મે 2014 (12:30 IST)
લોકસભા ચૂંટણી પરિણામ પહેલા એક્ઝિટ પોલના તારણોએ એનડીએની સરકાર બનાવી દીધી છે. જેની અસરથી જાણે ભાજપ નેતા ઘેલમાં આવી ગયા હોય તેમ મનફાવે એવા નિવેદનો આપી રહ્યા છે. વિવાદાસ્પદ નિવેદનો આપવામાં ચર્ચિત ભાજપના નેતા ગિરિરાજ સિંહે ફરી એક વખત ભડકાઉ  નિવેદન આપ્યુ છે. 
 
ગિરિરાજ સિંહે એક ખાસ સમુહને નિશાન પર લેતા કહ્યુ  જે આતંકી પકડાય છે તે એક જ સમુદાયના કેમ હોય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ગિરિરાજ સિંહ મંગળવારે બોકારો કોર્ટમાં સુનાવણી માટે આવ્યા હતા.  બોકારોમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે હુ તે સમુદાયના દરેક લોકોને દોષી માનતો ન અથી. પણ ધર્મનિરપેક્ષતાની વાતો કરનારા લોકોના મ્હો પર તાળા કેમ લાગી જાય છે.  
 
આ ઉપરાંત તેમણે કહ્યુ કે પાકિસ્તાન મોદીને પીએમ બનતા રોકવાનુ કામ કરી રહ્યુ છે. ભારતમાં પણ અમુક લોકો એવા છે જેમનુ રાજનીતિક મક્ક-મદિના પાકિસ્તાનમાં છે. તેવા લોકો મોદીને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકોની જગ્યા પાકિસ્તાનમાં છે. 
 
ગિરિરાજ સિંહના આ નિવેદનની બધી રાજનીતિક પાર્ટીઓએ નિંદા કરી છે. કોંગ્રેસનુ કહેવુ છે કે ગિરિરાજ સિંહને દરેક વસ્તુમાં ધર્મ દેખાય છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે આતંકવાદી માત્ર એક જ કોમ્યુનિટીના પકડાતા નથી. ગિરિરાજને દરેક વસ્તુમાં ધર્મ દેખાય છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments