Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિર્દોષ છે તો કેમ એક શહેરથી બીજા શહેરમાં ભાગી રહ્યા છે આસારામ ?

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2013 (10:30 IST)
P.R
શનિવારના દિવસે આસારામને ભારી પડી શકે છે, જોઘપુરથી ઈન્દોર, ઈન્દોરથી સૂરત અને સૂરતથી ભોપાલ અને ભોપાલથી ફરી ઈન્દોર, ધરપકડથી બચવા માટે આસારામ બાપૂએ ઘણી તરકીબો અજમાવી, પણ પોલીસ શનિવારે તેમને કેમ પણ કરીને પકડી લેવા માંગે છે.

પોલીસ આસારામને આજે કોઈપણ ક્ષણે કાયદાકીય શકંજામાં કેદ કરી શકે છે. ભોપાલથી ભાગીને ઈન્દોર આશ્રમમાં પહોંચેલ આસારામને જોઘપુર પોલીસ આજે ધરપકડ કરી શકે છે. જ ઓઘપુરથી પોલીસની એક ટીમ પણ ઈન્દોર માટે રવાના થઈ ચુકી છે. મોડી રાત્રે જોઘપુરથી પોલીસ ટીમ ઈંદોર માટે નીકળી છે.

આસારામ ભોપાલથી ફ્લાઈટ પકડીને ઈન્દોર આવવાના હતા, પણ એયરપોર્ટ પર તેમના સમર્થકોએ મીડિયા સાથે દુર્વ્યવ્હાર કર્યો. કેટલાક પત્રકારો સાથે મારપીટ પણ થઈ. હંગામો થવાને કારણે જ આસારામની ફ્લાઈટ છૂટી ગઈ. જ્યારબાદ દેવાસના રસ્તે આસારામ ઈંદોર પહોંચ્યા, પણ ભોપાલથી લઈને દેવાસ અને ઈન્દોર સુધી આસારામે કોઈની સાથે વાતચીત ન કરી.

આસારામ ગાડીમાં આગળની સીટ પર બેસેલા હતા અને દેવાસ બાય પાસ પર ટોલ ટેક્સ ચુકવીને ઈન્દોર માટે રવાના થઈ ગયા. બાયપાસ પર જ્યારે મીડિયાએ જોયુ તો તેમણે કેમરામાં મોઢુ સંતાડી દીધુ.


જોઘપુરથી ઈન્દોર, ઈન્દોરથી સૂરત અને સૂરતથી ભોપાલ અને ભોપાલથી ફરી ઈન્દોર. ભાગમભાગના આગાળાઁઆં આસારામ બાપૂએ બચવાના ઘણા પ્રયત્નો કર્યા. અંતિમ હથિયારના રૂપમાં કોર્ટમાં અગ્રિમ જમાનતની અરજી કરી હતી કે આ વયમાં અને એક સંતના રૂપમાં આ દાગ શોભતા નથી પણ કોર્ટે તેમને ઠેંગો બતાવી દીધો.

ગુજરાત હાઈકોર્ટના જજની મફત સલાહથી બાબાનો ખિલાયેલો ચહેરો પણ કરમાય ગયો. જજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે એ જ યોગ્ય રહેશે કે તમે અરજી પરત લઈ લો. રદ્દ કરવામાં આવશે તો મુશ્કેલી ઉભી થશે. આસારામે કોર્ટમાં ખોટુ કહ્યુ હતુ કે સાંસારિક બંધનોથી મુક્તિની જડીબુટી વેચનારા આસારામના વેવાઈના અંતિમ સંસ્કારમાં જવા માટે શરણ માંગી હતી, પરંતુ જજ સાહેબે કહ્યુ કે 'કેવી વાત કરો છો બાબા, કાયદાથી કોઈ બચી શકે છે.

બીજી બાજુ ભોપાલમાં આસારામના ચેલા મુશ્કેલી ઉભી કરી રહ્યા છે તો રાજસ્થાનમાં મથાનિયાની પાસે તેમના ભાઈ બંધુ આતંકનો જુદો જ પ્રસાદ વહેંચી રહ્યા હતા. ધમકીથી લઈને પ્રવચન સુધી દરેક વખતે આસારામ અને તેમના ચેલાઓએ આરોપોને ખોટા બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો બીજી બાજુ પુત્રીના દર્દથી ઘાયલ પિતા પણ દુનિયાને પોતાની હકીકત બતાવી રહ્યા છે.

આસારામનો ખરેખર ખરાબ સમય ચાલી રહ્યો છે. આસારામના હિતેચ્છુ પણ હવે ગાયબ થઈ ગયા છે. બીજેપીના સૂત્રો મુજબ પાર્ટીના નેતાઓને આ મુદ્દા પર પાર્ટી પ્રમુખે નિવેદન આપવાથી રોકી લીધા છે. તેથી આસારામ ભાગી રહ્યા છે. પોલીસ આસારામને પકડવાની તૈયારીઓમા છે, હવે રામ જાણે ક્યા સુધી બચશે આસારામ.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments