Webdunia - Bharat's app for daily news and videos

Install App

નદીમાં પાણી નથી તો શુ પેશાબ કરુ ? પવાર

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2013 (15:30 IST)
.
P.R
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર એકવાર ફરી વિવાદમાં છે. તેમના આ વિવાદનુ કારણ છે દુકાળને લઈને કરવામાં આવેલ એક આપત્તિજનક ટિપ્પણી, મહારાષ્ટ્રના ઈંદ્રાપુરામાં આપવામાં આવેલ એક નિવેદનમાં અજીતે કહ્યુ કે બાંધમાં પાણી નહી તો શુ પેશાબ કરુ. જો કે પછી તેમણે પ્રેસ રીલીઝ દ્વારા માફી માંગી છે.

એકતરફ મહારાષ્ટ્રમાં દુષ્કાળના કારણે લોકોની હાલત દયનીય છે ત્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જે ટિપ્પણી કરી છે તો તે વાંધાજનક તો છે પણ અત્યંત શરમજનક પણ છે. આ એ જ અજીત પવાર છે જેમના પર સિંચાઈની જવાબદારી છે.

એનસીપીના પ્રમુખ અને કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારના ભત્રીજા અજીત પવારે પુણેમાં આયોજીત એક સભામાં કહ્યુ હતુ કે જો પાણી જ ન હોય તો મળશે ક્યાંથી, બંધમાં પાણી ન હોય તો શું કરીએ. તેમણે કહ્યુ કે ભૂખહડતાલ કરવાથી પાણી નહીં મળે, પાણી પાણી શું કરો છો, નદીમાં પાણી નથી તો શું તેમાં પેશાબ કરીએ?

પવારે કહ્યુ હતુ કે એક માણસ 55 દિવસથી ડેમમાં પાણી છોડવાની માંગ કરી રહ્યો છે અને ઉપવાસ કરી રહ્યો છે. શું તેને પાણી મળ્યુ. પાણી નથી તો શું કરીએ?

અજીત પવારના આ પ્રકારના શરમજનક નિવેદન સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમની વિરુદ્ધ અનેક સ્થળોએ દેખાવો યોજવામાં આવ્યા છે. જ્યારે ભાજપે અજીત પવારના રાજીનામાની માંગ કરી છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments