શુ હોઈ શકે છે બળાત્કારીઓની દલીલ - બચાવ પક્ષ દલીલ રજૂ કરી શકે છે કે આરોપીઓનો પાછલો કોઈ કિમિનલ રેકોર્ડ નથી અને સાથે જ તેમની વય અને આર્થિક પરિસ્થિતિનો હવાલો આપી શકે છે. સાથે જ પરિવરમા6 માતા પિતા અને અન્ય લોકોની તેના પર નિર્ભરતાની દલીલો રજૂ કરી શકે છે. જો કે બંને પક્ષોની દલીલ પછી છેવટે કોર્ટ નક્કી કરે છે કે આ કેસમાં શુ સજા આપવામાં આવે.
ફાંસી કે ઉંમરકેદ : જે ધારાઓ હેઠળ ચાર આરોપીઓને દોષી બતાવ્યા છે તેમા હત્યા પર વધુમાં વધુ ફાંસી અને ઓછામાં ઓછી ઉંમરકેદની જોગવાઈ છે. ગેંગરેપ બાબતમાં વધુમાં વધુ ઉંમરકેદ થઈ શકે છે. જો કે આ ગેંગરેપ પછી બનેલ નવા કાયદા હેઠળ ગેંગરેપ પછી મોત કે મરણપરિસ્થિતિ પર પહોંચવા બદલ ફાંસીની પણ જોગવાઈ છે.
ઉંમરકેદનો મતલબ - ઉંમરકેદનો મતલબ જીવનભર જેલમાં. પણ ઓછામાં ઓછા 14 વર્ષ જેલમા કાપ્યા પછી કેદ કે રાજ્ય સરકાર કેદીના ચાલચલનના આધારે તેની સજા માફ કરીને તેને છોડી શકે છે. જો કોર્ટે નિર્ણયમા લખે છે કે સજા 20 વર્ષ કે 25 વર્ષ પહેલા છૂટ ન આપવામાં આવે, તો ત્યારબાદ જ છૂટ પર વિચાર થઈ શકે છે.
હત્યા પર ફાંસી ક્યારે : હત્યા બાબતે ફાંસી ત્યારે થાય છે જ્યારે કેસ રેયરેસ્ટ ઓફ રેયર કૈટિગરીનો હોય. સાથે જ આ સાબિત થાય કે હત્યા નિર્દય રીતે થઈ છે. ફાંસી સંભળાવતી વખતે કોર્ટ માટે એ બતાવવુ જરૂરી છે કે કેસ કેવી રીતે રેયરેસ્ટ ઓફ રેયર છે.
કોર્ટે આ બતાવ્યા છે મુખ્ય પુરાવા - પીડિત યુવતીએ મરતા પહેલા આપેલુ નિવેદન
- ઘટનાસ્થળ પરથી મળેલા સેંપલ દ્વારા આરોપીઓનો ડીએનએ મેચ થવો
- એકમાત્ર સાક્ષી યુવતીના મિત્રનુ નિવેદન
- ફોન લોકેશન, સીસીટીવી ફુટેજ જેવા ઈલેક્ટ્રોનિક પુરાવા