Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ભાજપ જનલોકપાલ બિલ પાસ કરશે તો 'આપ' સમર્થન આપવા તૈયાર - પ્રશાંત ભૂષણ

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2013 (13:39 IST)
P.R
દિલ્હીમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી અને ભાજપનાં ગઠબંધન અંગે થઇ રહેલી અટકળોને આપ પાર્ટીએ ફગાવી દીધી. પ્રશાંત ભૂષણનાં નિવેદનને આપ પાર્ટીએ વ્યક્તિગત ગણાવ્યુ.

આપ પાર્ટીનાં નેતા પ્રશાંત ભૂષણે કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ભાજપને મુદ્દા આધારિત સમર્થન આપવા માટે તૈયાર છે. જેને લઇને ભાજપ અને આપનાં ગઠબંધનની અટકળો શરૂ થઇ હતી. પણ આખરે પ્રશાંત ભૂષણે ફેરવી તોળ્યુ અને કહ્યુ કે આ મારા અંગત વિચાર છે, પાર્ટીમાં તે અંગે કોઇ ચર્ચા થઇ નથી.

નોંધનીય છે કે એક ચેનલ સાથેની વાતચીતમાં ભૂષણે કહ્યુ હતુ કે ભાજપ અમને લેખિતમાં આપે કે તે આમ આદમી પાર્ટીનાં વાયદા મુજબ 29 ડિસેમ્બર સુધી જનલોકપાલ બિલ પાસ કરશે અને દિલ્હીમાં જનસભાની રચના કરશે, તો અમે સમર્થન આપવા અંગે વિચાર કરી શકીએ છીએ.

આપનાં નેતા કુમાર વિશ્વાસે કહ્યુ કે આ પ્રશાંત ભૂષણનું વ્યક્તિગત નિવેદન છે. અને આ બાબતે તેમણે પાર્ટીમાં કોઇ વાત નથી કરી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments