મહત્વનું છે કે, સુવિખ્યાત ગાયિકા લતા મંગેશકરના કંઠે ગવાયેલા 'એ મેરે વતન કે લોગો...'ગીતના આજે 50 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં મોદી અને લત્તા મંગેશકર એક જ મંચ પર સાથે જોવા મળવાના હોવાથી આ કાર્યક્રમ પહેલાથી જ ચર્ચામાં હતો.
જોકે, લતા મંગેશકરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોતે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી. તેમજ પોતાને રાજકારણમાં રસ પણ નથી. રાજકારણ અને સંગીત જુદા વિષયો છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં મોદીના હસ્તે લતા મંગેશકરનું બહુમાન થયું હતું. લત્તાએ આ ગીત 27 જાન્યુઆરી 1963માં ગાયું હતું. સી રામચંદ્ર દ્વારા કંપોઝ કરાયેલા તેમજ કવી પ્રદીપ દ્વારા લખાયેલા આ ગીતને ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવાયું હતું. જેને સાંભળી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ રડી પડ્યા હતા.
મહત્વનું છે કે, નવેમ્બરમાં લતા મંગેશકરે ભારતના લોકો મોદીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે તેવું નિવેદન આપી રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. જેનો કોંગ્રેસે પણ વાંધો ઉઠાવ્યો હતો.