Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેડીયુના વિશ્વાસઘાત સામે ભાજપનું 18 જૂને બિહર બંધનુ એલાન

Webdunia
સોમવાર, 17 જૂન 2013 (10:08 IST)
.
P.R
ભાજપે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા પછી ભાજપની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. મોદીના વિરોધી નીતીશ કુમારે છેવટે ભાજપ સાથે જેડીયુનો છેડો ફાડ્યો છે. બિહારમાં ભાજપ- જેડીયુનું ગઠબંધન તૂટતા બંને પક્ષો પોતપોતાની તાકાત દર્શાવવાને માટે સામસામે આવી ગયા છે. એકતરફ નીતીશકુમાર 19મીએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાના છે. તો બીજી તરફ ભાજપાએ જેડીયુના આ પગલાને વિશ્વાસઘાત સમાન ગણાવીને 18મી જુનના રોજ બિહાર બંધનું એલાન આપ્યું છે.

પટણા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપાના નેતા સુશીલ મોદીએ પત્રકારોને જણાવ્યું હતું કે જો જેડીયુમાં નૈતિકતા હોય તો તેઓએ ભાજપાની સાથે રહીને વિશ્વાસનો મત મેળવ્યો હોવાથી ગઠબંધન તોડતા પહેલા રાજીનામાં આપી દેવા જોઈએ. આજનો દિવસ બિહારના રાજકારણના ઇતિહાસમાં વિશ્વાસઘાતના દિવસ તરીકે ઓળખાશે.

બિહારની રાજનીતિના આ કાળા દિવસની સામે વિરોધ પ્રદર્શિત કરવાને માટે 18મી જુનના રોજ બિહાર બંધનું એલન ભાજપે આપ્યું છે. બિહારની જનતા ચુંટણીઓમાં આનો બદલો જરૂર લેશે. તેઓએ મોદી કાર્ડ ચલાવતા ઉમેર્યું હતું કે દેશમાં હવે પછીના વડાપ્રધાન પછાત વર્ગમાંથી આવશે. જેડીયુએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીને રોકવાની જે કોશિષ કરી છે, એની તેઓએ આકરી ઝાટકણી કાઢી હતી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments