Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણતંત્ર દિવસ પરેડનુ આમંત્રણ ન મળવાથી કેજરી નારાજ

Webdunia
શનિવાર, 24 જાન્યુઆરી 2015 (12:25 IST)
ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રણ ન મળતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ નારાજ છે. જો કે પ્રોટોકોલના હિસાબથી પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. 
 
સૂત્રોનુ માનીએ તો હજુ સુધી અરવિંદ કેજરીવાલને ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રણ નથી મળ્યુ. જેને લઈને તેઓ ખૂબ નારાજ છે. ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ છે. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હશે. જેને ધ્યાનમાં રાખતા દિલ્હી સહિત આખા દેશમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં 7 ફેબ્રુઆરીને વિધાનસભા ચૂંટણી થવાની છે. તેથી આ મુદ્દો રાજનીતિક રંગ લેશે તો કોઈ હેરાનગીની વાત નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેજરીવાલ મુખ્યમંત્રી રહેતા 26 જાન્યુઆરીની આસપાસ જ ઘરણા પર બેસી ગયા હતા. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments