આસિફ મોહમ્મદે ભડકાવતા કહ્યુ કે તેઓ હાઉસમાં કેજરીવાલ વિરુદ્ધ વોટ કરશે, ભલે પાર્ટી તેમને કાઢી નાખે. તેમણે પાર્ટીને તરત કેજરીવાલ સરકાર પાસેથી સમર્થન પરત લેવાની માંગ કરી. ત્યારબાદ પ્રેસ કોન્ફરેંસ ખતમ કરવામાં આવી. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરેંસમાં બાટલા હાઉસની તપાસને લઈને પૂછવામાં આવેલ પ્રશ્ન પર કહ્યુ કે આ બાબતે કોર્ટમાં નિર્ણય આવી ચુક્યો છે, તેથી તેમની સરકાર આ બાબતને લઈને કોઈ પગલા નથી ઉઠાવતી. કેજરીવાલે કહ્યુ કે આ બાબત પાર્ટીના ઘોષણાપત્રમાં પણ નહોતી.