Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપૂના સમર્થકો દ્વારા મીડિયા પર હુમલો, આશ્રમ સીલ થઈ શકે છે

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2013 (15:25 IST)
P.R
એક બાજુ આસારામ બાપૂ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યા છે, તો બીજી બાજુ તેમના સમર્થકોએ આક્રમક વલણ અપનાવ્યુ છે. આસારામ બાપૂના સમર્થક મોટી સંખ્યામાં જોઘપુરમાં આશ્રમની બહાર એકત્ર થવા માડ્યા છે. પોલીસ લોકોને ત્યાં એકત્ર થવાથી રોકી રહી છે. જોઘપુરની સીમા સીલ કરવામાં આવી છે અને આસારામનો આશ્રમ પણ સીલ કરવામાં આવી શકે છે.

શનિવારે સવારે જોઘપુરમાં આશ્રમની બહાર આસારામના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો. પોલીસે આ મુદ્દામાં છ લોકોની ધરપકડ કરી લીધી છે. આસારામના સમર્થકોએ જોધપુર આશ્રમની બહાર કવરેજ કરી રહેલ ન્યૂઝ ચેનલના પત્રકારો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. એક મીડિયા કર્મચારીના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. ગુસ્સામાં સમર્થકોએ તેમનો કેમેરા વગેરે પણ તોડી નાખ્યા. આસારામના સમર્થક એ વાતથી લઈને નારાજ હતા કે મીડિયા તેમને એક દોષીની જેમ રજૂ કરી રહી છે. સમર્થક આ વાતને લઈને પણ નારાજ હતા કે આસારામ બાપૂને ફક્ત આસારામ કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે.

આસારામના ઈન્દોર સ્થિત આશ્રમની બહાર પણ તેમના સમર્થકની ભીડ એકત્ર થઈ ગઈ. ત્યા પણ પોલીસની ખૂબ ભીડ એકત્ર રહી. એવુ કહેવાય રહ્યુ છે કે શુક્રવારે ભોપાલથી ભાગીને આસારામ ઈન્દોર પહોંચ્યા હતા. પરંતુ ઈન્દોર પોલીસ આ વાતને નકારી રહી છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments