પંજાબ પુનર્ગઠન અધિનિયમના હેઠળ 1 નવેમ્બર 1966ના રોજ હરિયાણા જુદુ રાજ્ય બન્યુ. પણ ઉત્તરાધિકારી રાજ્યો (પંજાબ અને હરિયાણા) ની વચ્ચે પાણીની વહેંચણી નથી થઈ. વિવાદ ખતમ કરવા માટે કેન્દ્રએ અધિસૂચના રજુ કરીને હરિયાણાને 3.5 એમ.એ.એફ પાણી વહેંચણી કરી દીધી. આ પાણીને લાવવા માટે 212 કિમી. લાંબી એસ.વાઈ.એલ નહેર બનાવવાનો નિર્ણય થયો હતો. હરિયાણાએ પોતાના ભાગની 91 કિમી. નહેરનુ નિર્માણ વર્ષો પહેલા પુરુ કરાવ્યુ હતુ. પણ પંજાબમાં હજુ સુધી વિવાદ ચાલતો આવી રહ્યો છે.