Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાજપેયી અને માલવીયને ભારત રત્ન

Webdunia
બુધવાર, 24 ડિસેમ્બર 2014 (11:42 IST)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને મદનમોહન માલવીયને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ વાતની માહિતી આપી. મંગળવારે પ્રધાનમંત્રી  રહેઠાણ પર પાર્ટી કોર ગ્રુપની બેઠક થઈ. જેમા આ વાતની ચર્ચા થઈ હતી. 
 
આ પહેલા પ્રધાનમંત્રી તરફથી બંને નેતાઓના નામ રાષ્ટ્રપતિની પાસે મોકલી દેવામાં આવ્યા હતા. સૂત્રોનુ કહેવુ છે કે 26 જાન્યુઆરીના રોજ તેમને ભારત રત્ન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધનામંત્રી મોદીએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરનારા માલવીયને ભારત રત્ન આપવાનુ વચન આપ્યુ હતુ. 
 
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવાના સમર્થનમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતીશ કુમાર પણ આવી ગયા છે. તેમણે કહ્યુ કે વાજપેયીને યુપીએ સરકાર દરમિયાન જ ભારત રત્ન આપવો જોઈએ હતો. હુ પણ ભારત રત્ન આપવાનુ સમર્થન કરુ છુ. 
 
વાજપેયી વિશે નીતીશે કહ્યુ તેમની એક ઉદાર વિચાર હતો અને તેઓ હંમેશા વિભાજનકારી એજંડાને દૂર રાખતા પોતાના ગઠબંધન સહયોગીઓનુ સન્માન કરતા હતા. વાજપેયીને જન્મદિવસની શુભેચ્છા આપતા તેમણે કહ્યુ કે એનડીએ શાસન દરમિયાન મે તેમની પાસેથી અનેક વાતો શીખી.  
 
લાલકૃષ્ણ અડવાણીએ પણ હકદાર બતાવ્યા. -વાજપેયીને ભારત રત્ન આપવાની ચર્ચાઓ દરમિયાન તેમના રાજનીતિક હમસફર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે અટલ સાચા રૂપે સન્માનના હકદાર છે. બીજેપી વરિષ્ઠ નેતા અડવાણીએ કહ્યુ કે એક પ્રધાનમંત્રીના રૂપમા વાજપેયીનો કાર્યકાળ શાનદાર રહ્યો છે અને તેમને આ સન્માન મળવુ જ જોઈએ. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments