યોગ ગુરૂ બાબા રામદેવે પાક પર નિશાન સાધતા કહ્યુ કે ઉરી હુમલાનો વળતો જવાબ આપવો જ પડશે. તેમણે કહ્યુ કે પાક સાથે પીએમ નરેન્દ્ર મોદીને બુદ્ધ અને યુદ્ધ બંને પર સાથે વાત કરવી જોઈએ.
બીજી બાજુ આ હુમલાને ગૃહ રાજ્યમંત્રી કિરન રેજિજૂએ કહ્યુ કે આ નિવેદનબાજી કરવાનો સમય નથી. અમારી તરફથી સમજી વિચારીને કાર્યવાહી કરવામાં આવશે.
કિરન રેજિજૂએ પડોશી દેશને આડા હાથે લેતા કહ્યુ કે પાકિસ્તાનના નકારવાથી કશુ નહી થાય. અમારી પાસે તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા છે. અમે જે પણ પગલા ઉઠાવીશુ તે બધુ ધ્યાનમાં લઈને ઉઠાવીશુ.