Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 વર્ષ પછી સુરજીત પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા

Webdunia
ગુરુવાર, 28 જૂન 2012 (11:28 IST)
P.R
પાકિસ્તાનમાં આજીવન કેદની સજા કાપી ચૂકેલા ભારતીય સુરજીતસિંહને આજે લાહોરની કોટ લખપત જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સુરજીતે ૮૦ના દશકામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયા હતા. સુરજીતની મુક્તિના સમાચાર બાદ પંજાબના ફિરોઝપુર જિલ્લા સ્થિત તેમના ફિડ્ડે ગામમાં જશ્નનો માહોલ છે.

પાકિસ્તાન પોલીસ ૬૯ વર્ષીય સુરજીત સિંહને વાઘા બોર્ડર સુધી લઇને આવી હતી. જ્યાં તેમને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.

વાઘા બોર્ડર પહોંચતાં સુરજીતે કહ્યું કે, તે હવે ક્યારેય પાકિસ્તાન નહીં આવે. તેમણે કહ્યું કે, જો હું આવીશ તો ફરી મારા પર શક થશે કે હું જાસૂસી કરવા માટે આવ્યો છું. એટલે હવે હું પાકિસ્તાન નહીં આવું. તેમણે અપીલ કરી કે સરબજીતને પણ જલદી મુક્ત કરવામાં આવે. જેલમાં કરાયેલા વર્તન અંગે તેમણે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાં તેમની સાથે સારો વ્યવહાર કરાયો હતો.

સુરજીતના વકીલ અવૈસ શેખસે કહ્યું કે, તેમને પાકિસ્તાની પોલીસે જિયા ઉલ હકના સૈન્ય શાસનમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયાહતા.

સુરજીતને પાકિસ્તાની આર્મી એક્ટ ૧૯૮પ અંતર્ગત ફાંસીની સજા ફટકારાઇ હતી પણ ૧૯૮૯માં રાષ્‍ટ્રપતિ ગુલામ ઇશકખાને આ સજાને આજીવન કેદમાં બદલી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોટ લખપત જેલમાંથી મુક્તિ અગાઉ સુરજીતે જેલના અન્ય કેદીઓ સાથે એક બેઠક પણ કરી હતી. આ બેઠક તેમની વિદાયને સંલગ્ન હતી. સુરજીતે જેલના અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે આ પ્રસંગે તેમને સેવઇ આપવામાં આવે.

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Show comments