Webdunia - Bharat's app for daily news and videos

Install App

2જી સ્પેક્ટ્રમ બાબતે સોનિયા કેમ મૌન છે - બાલ ઠાકરે

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2012 (10:56 IST)
P.R
2 જી સ્પેક્ટ્રમ કેસમાં સુપ્રીમ કોર્ટે 122 લાયસન્સ રદ કરી દીધા છે ત્યારે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ આ મામલે સોનિયા ગાંધીનાં મૌન સામે સવાલ ઉઠાવ્યો છે.

બાલ ઠાકરેએ કહ્યું છે કે આ મામલે સોનિયા ગાંધી કેમ ચૂપ છે ! તેમણે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સામે પણ આકરા પ્રહાર કરતા કહ્યુ કે તેઓ માયાવતીનાં ભ્રષ્ટાચારની વાતો કરે છે, પરંતુ પોતાની જ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે મામલે કંઇ નથી બોલી રહ્યા.

બાલ ઠાકરેએ વધુમાં કહ્યું કે જો કોંગ્રેસ ખરેખર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતી હોય તો માત્ર ગૃહપ્રધાન ચીદમ્બરમે જ નહીં પરંતુ વડાપ્રધાન મનમોહનસિંહે પણ રાજીનામું આપી દેવું જોઇએ.

તેમણે કહ્યુ કે દુનિયાનાં આ સૌથી મોટા ગોટાળાને માત્ર એક મંત્રી પર નાંખી દઇને કોંગ્રેસ પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની એક ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જો ચિદમ્બરમે યોગ્ય નિર્ણયો લીધા હોત તો આ કૌભાંડ અટકાવી શકાયું હોત.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments