rashifal-2026

લવ ગુરૂ : વ્યસ્ત જીવનમાં પતિ-પત્ની વચ્ચે 5 વાતો છે જરૂરી

Webdunia
P.R
આજની જીવનશૈલીમાં પતિ-પત્ની વચ્ચે તણાવ સર્જાવો એ બહુ સામાન્ય બાબત બની ગઇ છે. પણ વાત જ્યારે છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે મામલો ગંભીર બની જાય છે. જો તમે પણ તમારા વચ્ચેની નાની-નાની બબાલોને મોટું સ્વરૂપ આપતા હોવ તો પરિસ્થિતિ વણસે તે પહેલા સચેત થઇ જાવ. નાના-નાના ઝઘડા તો દરેક સંબંધોમાં સર્જાતા રહે છે, જરૂર છે તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવાની. અહીં એવી પાંચ ટિપ્સ આપવામાં આવી છે જે તમારા તમારા પાર્ટનર સાથેના સંબંધને બચાવી રાખશે અને તેને વધુ મજબૂત પણ બનાવશે.

વિશ્વાસ કર ો - કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તમારા બંને વચ્ચે વિશ્વાસ છે તો કોઇ ત્રીજી વ્યક્તિ તમારી વચ્ચે તિરાડ નહીં સર્જી શકે. એકબીજા પર વિશ્વાસ જાળવી રાખવા માટે તમારે એકબીજાની વાતો પર શંકા ન કરવાની જરૂર છે આમ કરવાને બદલે સમસ્યાના મૂળમાં જવાનો પ્રયાસ કરો.

એકબીજાને સમય આપ ો - ઘણીવાર વધતું જતું અંતર પણ સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા સંબંધો લાંબા સમય સુધી ટકે તો વચ્ચે વચ્ચે પિકનિક પર જાઓ, ફરવા જાઓ. તમે લોન્ગ ડ્રાઇવ પર પણ જઇ શકો છો અને ત્રણ-ચાર દિવસની ટ્રિપ પર પણ. એટલું જ નહીં, તમે એકાદ દિવસ રજા લઇને તમારા પાર્ટનરને સરપ્રાઇઝ પણ આપી શકો છો. આમ કરશો તો એકબીજાની નજીક આવવાના તમને વધુ મોકા મળશે.

એકબીજાને સમજો - તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને સમજવાની પણ જરૂરી છે. માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો/સમજવી જરૂરી છે કે તેના કંઇ કીધા પહેલા જ તમે તેની વાત સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાત શેર નથી કરી શકતો. આવામાં તમારે તેની ન કહેલી વાતો સમજવી જોઇએ.

એકબીજાનું સન્માન કરો - જો એકબીજાને આદર-સન્માન આપશો, એકબીજાના કામને મહત્તા આપશો તો અચૂકપણે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. ઘણીવાર સંબંધોમાં ખટાશનું કારણ એકબીજાની કાર્યશૈલીને ન સમજવી કે તેને મહત્વ ન આપવું પણ હોય છે.

સંવાદ જરૂરી છે - કોઇપણ સંબંધને બચાવવા માટે જરૂરી છે પરસ્પરનો સંવાદ. જો તમારા બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ વધુ હશે તો ગેરસમજણો જન્મ લઇ શકે છે. પણ તમે જો સતત વાતો કરતા રહેશો અને એકબીજાના સુખ-દુખમાં સંપૂર્ણ ભાગીદાર બનશો તો તમારા વચ્ચેની કડવાશ દૂર થઇ જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

વધુ જુઓ..

ધર્મ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments