Biodata Maker

લગ્નજીવનમાં તાજગી જાળવી રાખવા અપનાવો નુસખા

Webdunia
P.R
જો તમે હસી મજાક કરનારા લોકોમાંના છો તો તમારા સંબંધમાં તાજગી જાળવી રાખવામાં મદદ મળશે. તમારી આ પ્રકૃતિ તમારા લગ્નજીવન માટે પણ ઘણી સારી છે. હસી-મજાકથી તમારા લગ્નજીવનમાં ભરપુર મીઠાશ આવી શકે છે. આનાથી પરસ્પર વ્યાપેલી કડવાશ દૂર થઇ શકે છે.

લગ્નજીવનમાં મીઠાશ ફેલાવવા માટે અપનાવો આ નુસખાં...

1. સંબંધમાં વ્યાપેલા કંટાળા અને બોલાચાલીના વ્યવહારને દૂર કરવા માટે હસી-મજાક કરતા રહેવું બહુ જરૂરી છે. માટે કોશિશ કરો કે તમારા પાર્ટનર સાથે વધુ ને વધુ હસી-મજાક કરતા રહો અને તેમને ખુશ રાખી તમે પણ ખુશ રહો. જેથી તમારા પાર્ટનરની સાથે તમે લગ્નજીવનમાં પ્રવેશેલા કંટાળાથી બચી શકો.

2. તમે લગ્નજીવનમાં આવેલા ટેન્શનને ઓછું કરવા માટે પણ પરસ્પર હસી મજાકનો માર્ગ અપનાવી શકો છો. લડાઈ-ઝઘડાંની વચ્ચે આ પ્રકારનું વર્તન તમારી વચ્ચેના તણાવને ઓછો કરશે.

3. જો તમે મજાકિયા નથી તો કોશિશ કરો કે તમારા વ્યવહારમાં મીઠાશ લાવો અને પ્રેક્ટિકલ જોકનો ઉપયોગ કરતા થાવ. પણ ધ્યાન રાખો કે તમારા જોક સારા હોવા જોઇએ, જે તમારા સાથીને સરપ્રાઇઝ અને ખુશ કરે. મજાક એવી હોવી જોઇએ જેનાથી તમારા સાથીને ખોટું ન લાગે કે તે નારાજ ન થાય. મજાક એવી હોવી જોઇએ જેનો અહેસાસ સુખદ હોય.

4. કોશિશ કરો કે ટીવી પર પણ હસી-મજાકના કાર્યક્રમો, કોમેડી પિક્ચર કે શૉ સાથે બેસીને જોઇ શકો. આનાથી પણ તમારા સંબંધમાં મીઠાશ ફેલાશે અને તમે એકબીજાની નજીક આવશો. દરમિયાન તમારા સાથીની પસંદ-નાપસંદનું ધ્યાન રાખો.

5. આજકાલ કોઇ સંબંધમાં વધી રહેલા તણાવનું મુખ્ય કારણ બંને લોકોના કામકાજી હોવું છે. કામકાજનું ભારણ આપણા સંબંધ પર હંમેશા છાપ છોડી જાય છે. દિવસભરની દોડભાગ ભરેલી જિંદગી બાદ જ્યારે પતિ-પત્ની બંને ઘરે ફરે છે ત્યારે સંપૂર્ણપણે થાકેલા હોય છે. આ સ્થિતિમાં તમે એકબીજા પ્રત્યે કડક વલણ અપનાવવાને બદલે ખુશ રહો અને જેટલો સમય મળતો હોય તેટલા સમયમાં આનંદ લો. અને આ તમે તમારા હસી-મજાક ભરેલા વર્તનથી મેળવી શકશો. આવામાં એકબીજાને ઓફિસના મજેદાર કિસ્સા સંભળાવીને પણ ખુશ કરી શકો છો.
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: ભારતીય ટીમનું વિજય અભિયાન ચાલુ, T20 વર્લ્ડ કપ પછી જીતી સતત 7મી શ્રેણી

IND U19 vs SL U19 semifinal : શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોચ્યુ ભારત, પાકિસ્તાન સાથે થશે સામનો

ગુજરાતમાં આજે જાહેર થઈ SIR ની ડ્રાફ્ટ વોટર લિસ્ટ, ચેક કરી લેજો તમારુ નામ છે કે નહી

ક્યા છે Divorce Temple ? જ્યા થાય છે પતિ-પત્નીના સંબંધોનો નિર્ણય ! 700 વર્ષ જૂનો છે ઈતિહાસ

યૂપીના જાણીતા ઢાબામા દહીંની સાથે પીરસવામાં આવ્યો મરેલો ઉંદર, વીડિયો વાયરલ, સરકારે લીધી એક્શન

વધુ જુઓ..

ધર્મ

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Show comments