Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત વિરુદ્ધ ચીન-પાકનું ષડયંત્ર, બ્રહ્મપુત્રની સહાયક નદીનુ પાણી રોક્યુ

Webdunia
શનિવાર, 1 ઑક્ટોબર 2016 (14:47 IST)
ચીને તિબ્બતમાં પોતાના સૌથી મોટા હાઈડ્રો પ્રોજેક્ટ માટે બ્રહ્મપુત્ર નદીની એક સહાયક નદીને બંધ કરી દીધી છે. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે ચીનના આ પગલાથી ભારતના અસમ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમા પાણીની આપૂર્તિમાં કમી આવી શકે છે. 
 
ચીનની સરકારી ન્યૂઝ એજંસી શિન્હુઆ મુજબ બ્રહ્મપુત્ર નદી પર બની રહેલ ચીનના આ  હાઈડ્રો પ્રોજેક્ટ પર લગભગ 740 મિલિયન ડોલરનુ રોકાણ આવશે.  જેને કારણે ચીને આ નદીને રોકી દીધી છે. આ પ્રોજેક્ટ તિબ્બતના જાઈગરમાં છે જે સિક્કિમના નિકટ પડે છે. જાઈગસથી જ બ્રહ્મપુત્ર નદી અરુણાચલમાં વહેતા પ્રવેશ કરે છે. 
 
ચીન આ હરકત એવા સમયે કરી રહ્યુ છે જ્યારે ભારતે ઉડીમાં સેના મુખ્યાલયમાં થયેલ આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી પર સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. આવામાં ચીનનુ આ નવુ વલણ આ આશંકાને જન્મ આપે છે કે ક્યાક તે પાકિસ્તાન સાથે મળીને ભારત પર દબાણ બનાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યુ ?  જો કે ચીને  ભારત-પાકની વચ્ચે ચાલી રહેલ તનાવને લઈને કોઈનો પક્ષ નથી લીધો અને વાતચીત દ્વારા મુદ્દાનો હલ કાઢવાની અપીલ કરી છે. 
 
આ પ્રોજેક્ટનુ નિર્માણ કાર્ય જૂન 2014માં શરૂ થયુ હતુ અને 2019માં તેનુ નિર્માણ કાર્ય પુર્ણ થવાનું  છે. આ વર્ષે માર્ચમાં જળ સંસાધન રાજ્ય મંત્રી સાંવર લાલ જાટે કહ્યુ હતુ કે ચીનના આ નિર્માણથી ભારત પર પડનારા પ્રભાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ચીન સાથે વાત કરી છે.  જો કે બંને દેશ વચ્ચે કોઈ જળ સંધિ નથી.  પણ બંને દેશોએ સીમા તરફથી વહેનારી નદીઓને લઈને વિશેષ સ્તરની એક મેગેઝીન તૈયાર કરી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments