પાકિસ્તાનના પેશાવરમાં એક આર્મી સ્કુલમાં મંગળવારે બપોરે એક આતંકી હુમલામાં મરનારાઓની સંખ્યા 141 સુધી પહોંચી ગઈ છે. મરનારાઓમાં 132થી વધુ બાળકો છે. જ્યારે કે 9 શાળાના સ્ટાફના લોકો હતા. ઘાયલોની સંખ્યા 245થી વધુ છે.
મંગળવારે સવારે સાત આતંકવાદી સિક્યોરિટી ફોર્સની વર્દીમાં આર્મી શાળામાં ઘુસી ગયા હતા. આતંકવાદીઓએ શાળામાં ઘુસતા પહેલા બહાર ઉભેલી ગાડીઓને પોતાનુ નિશાન બનાવ્યુ. જ્યારે કે ફાયરિંગ અને ધમાકાઓને કારણે શાળાની ઈમારતને ભારે નુકશાન થયુ છે. આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાને હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યુ કે સ્કુલથી લગભગ 960 લોકોને કાઢી લેવામાં આવ્યા છે.
ઘટના પછી મંગળવારે મોડી સાંજે પીએમ મોદીએ નવાઝ શરીફ સાથે ફોન પર વાત કરી દુખ વ્યક્ત કર્યુ. મોદીએ ટ્વિટર પર કહ્યુ કે બુધવારે ભારતની બધી શાળાઓમાં 2 મિનિટનુ મૌન રાખી પાકિસ્તાનમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મોદીએ કહ્ય કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પાકિસ્તાન સાથે છે. સેનાએ જણાવ્યુ કે આતંકવાદીઓ હજુ વધુ નુકશાન પહોંચાડવા માંગતા હતા. તેમની પાસે અનેક દિવસો સુધી હુમલા કરવા માટે હથિયાર હતા.
09:20 PM- પાકિસ્તાનના શાળામાં આતંકી હુમલામા& 141 ના મોત. 245 લોકો ઘાયલ
08:00 PM-અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પેશાવર હુમલાની નિંદા કરી વ્હઈટ હાઉસની તરફતી આ બાબત એક નિવેદન દ્વારા રજુ કરવામાં આવી.
12:59 PM- લેડી રીડિંગ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.
12:55 PM- પેશાવરની હોસ્પિટલોમાં ઈમરજંસી જાહેર
પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક આર્મી શાળામાં આતંકી હુમલો થઈ ગયો છે. શાળામાં લગભગ 6-8 આતંકવાદીઓ ઘુસી ગયા છે. આતંકી સેનાની વર્દી પહેરીને શાળામાં પહોંચ્યા હતા અને અંદર પહોંચતા જ ગોળીબાર શરૂ દીધો. આ હુમલામાં પાંચ બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. સ્કુલને ચારેબાજુથી સુરક્ષા બળે ઘેરી લીધુ છે. આ હુમલાની આતંકી સંગઠન તહરીક-એ-તાલીબાને જવાબદારી લીધી છે. ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલુ છે.