Webdunia - Bharat's app for daily news and videos

Install App

અફઘાનિસ્તાનમાં શીતલહેર : ઠંડીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 104 થઈ

Webdunia
રવિવાર, 22 જાન્યુઆરી 2023 (11:17 IST)
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શીતલહેરમાં ઠંડીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 104 થઈ છે.
 
તાલિબાન સરકારે કહ્યું કે દેશના અલગ અલગ પ્રાંતોમાં ઠંડીને કારણે મૃત્યુ થવાના સમાચારો મળી રહ્યા છે. લોકોએ આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે.
 
સરકારે કહ્યું કે શીતલહેરને કારણે લગભગ 70 હજાર પશુઓના પણ મૃત્યુ થયા છે.
 
આ ઘટનાઓ અગાઉ તાલિબાન સરકારને આવી સ્થિતિ સર્જાવાનો અંદાજ હતો કે નહીં અને લોકોની મદદ માટે શું કરવામાં આવી રહ્યું છે?
 
આ પ્રશ્નના જવાબમાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે સરકારી એજન્સીઓની મદદથી તેમણે એક મહિનામાં લગભગ 40 હજાર પરિવારોને ભોજન સામગ્રી પૂરી પાડી છે અને વધુ મદદ ચાલુ છે.
 
સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનમાં કડકડતી ઠંડીને કારણે સર્જાયેલા માનવીય સંકટ બાબતે ચિંતા જાહેર કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments