Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેનેગલ બોટમાંથી 30થી વધુ સડી ગયેલા મૃતદેહો મળ્યા

senegal More than 30 rotten dead bodies
Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (14:24 IST)
સેનેગલના દરિયાકિનારે એક હોડીમાં 30 મૃતદેહો મળી આવતાં અધિકારીઓએ તપાસ આદરી છે.
 
સેનેગલની નેવીએ જણાવ્યું કે પાટનગર ડકારથી 70 કિલોમીટર દૂર દરિયાની અંદર બિસમાર હાલતમાં એક હોડી મળી આવી છે. હોડીમાં 30 મૃતદેહો છે જે એકદમ કોહવાઈ ગયેલી સ્થિતિમાં છે.
 
સેનેગલના સૈન્યે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નેવી એ હોડી કિનારે લઈ આવી છે. મૃતદેહ એટલી ખરાબ હાલતમાં છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે."
 
સેનેગલથી ગેરકાયદેસર રીતે સ્પેનના કૅનેરી ટાપુઓ પર જનારા લોકોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે. સામાન્ય રીતે લોકો બહુ જોખમી રીતે આ મુસાફરી કરતા હોય છે.
 
ઘણી વખત 1500 કિલોમીટરની મુસાફરી લોકો નાનકી હોડીમાં કરતા હોય જેમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવામાં આવે છે.
 
ઑગસ્ટ 2024માં ડોમિનીક રિપબ્લિકમાં સ્થાનિક માછીમારોને 14 લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બધા લોકો સેનેગલના હોવાનું બહાર આવ્યું હતું.
 
સેનેગલમાં લાંબા સમયથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે જેના કારણે દેશમાં ભંયકર બેરોજગારી અને ગરીબી છે. મોટી સંખ્યામાં યુવાનો જોખમ લઈને પણ યુરોપની મુસાફરી કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments