Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના પંજાબમાં મફત લોટ લેવા જતા ચાર વડિલોનાં મૃત્યુ

Webdunia
રવિવાર, 26 માર્ચ 2023 (12:25 IST)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સરકારી વિતરણ કેન્દ્રોમાંથી મફત લોટ લેવાના પ્રયાસમાં ઓછામાં ઓછા ચાર વડિલો મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો બેહોશ થયા છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈએ પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારી સાથેની વાતચીતને આધારે આ માહિતી આપી છે.
 
અધિકારીએ જણાવ્યા અનુસાર, મુલતાન, મુઝફ્ફરગઢ અને ફૈસલાબાદ શહેરોમાં આવી ઘટનાઓ બની છે.
 
તેમના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ બનવા પાછળનું કારણ એ છે કે મફત લોટ લેવા માટે લોકોની ભારે ભીડ ભેગી થઈ જાય છે, જ્યારે તેનું વિતરણ કરવા માટે બનાવવામાં આવેલા સરકારી વિતરણ કેન્દ્રો પર સુવિધાઓની અછત છે.
 
તેમણે કહ્યું, "મરનારાઓમાંથી બેનાં મૃત્યુ ત્યાં થયેલી ધક્કામુક્કીને કારણે થઈ અને અન્ય બે વ્યક્તિઓનાં મૃત્યુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે થયાં હતાં."
 
બીજી બાજુ પોલીસ અને ત્યાં ભેગા થયેલા લોકોને લાઇનમાં ઊભા રાખવા માટે તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
 
સમાચાર અનુસાર, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વધી ગયેલી બેહિસાબ મોંઘવારીથી ગરીબોને રાહત આપવા માટે મફતમાં લોટ વિતરણ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments