Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના: ચીન વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરૅન્ટીનનો નિયમ પાછો ખેંચશે

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (08:42 IST)
ચીને એલાન કર્યું છે કે, આગામી 8મી જાન્યુઆરીથી ચીનમાં આવનારા વિદેશી યાત્રીઓને ક્વોરૅન્ટીન નહીં રહેવું પડે.
 
ચીને તેની ઝીરો-કોવિડ નીતિમાં છૂટછાટ આપીને આ નિર્ણય લીધો છે.
 
ચીનની સરકાર છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોના સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહી છે.
 
આ દરમિયાન ચીનમાં કોરોનાના કેસમાં એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
 
સ્વાસ્થ્ય ક્ષેત્રના કર્મચારીઓએ કહ્યું છે કે, “બદલાયેલી સ્થિતિને સંભાળવા માટે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે.”
 
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મુદ્દા પર તેમના અધિકારીઓને કહ્યું છે કે, “તેઓ લોકોના જીવન બચાવવા માટે શક્ય તેવા તમામ પ્રયાસ કરે.”
 
આ સાથે જ ચીનની સરકારી મીડિયા અનુસાર, જિનપિંગે કહ્યું છે કે, “બદલાયેલી પરિસ્થિતિ સામે સામનો કરવા માટે વધુ પ્રભાવશાળી ઉપાયોની જરૂર છે.”
 
છેલ્લા કેટલાક દિવસથી ચીને કોવિડ સંબંધિત આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ ચીનમાં રોજ હજારો લોકોના મૃત્યુ થવાની આશંકા છે.
 
વર્ષ 2020ના માર્ચ મહિના પછી ચીનમાં આવનારા દરેક વિદેશી યાત્રીઓ માટે ક્વોરૅન્ટીન રહેવું અનિવાર્ય હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments