Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીરિયાની રાજધાનિ દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત

Webdunia
રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (16:44 IST)
સીરિયાએ કહ્યું છે કે ઈઝરાયેલે તેની રાજધાની દમાસ્કસ અને તેની આસપાસના વિસ્તારો પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા છે.
 
આ હુમલામાં 28 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
 
સરકારી ટીવી પર દેખાડવામાં આવેલા વીડિયોમાં ક્ષતિગ્રસ્ત દશામાં એક 10 માળની ઇમારતને બતાવવામાં આવી છે.
 
ઈઝરાયેલે જે વિસ્તારમાં હુમલા કર્યા છે, ત્યાં સુરક્ષાના ભારે બંદોબસ્ત ધરાવતા રહેણાંક પરિસર છે. આ વિસ્તારમાં વસતી ઘનતા વધારે છે.
 
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, ઈઝરાયેલે આ હુમલા પર પોતાનું નિવેદન આપવાથી ઇનકાર કર્યો છે.
 
ઈરાન અને હિઝબુલ્લા વિદ્રોહીઓથી જોડાયેલાં સીરિયાના વિસ્તારો પર ઈઝરાયેલ નિયમિત હુમલો કરતો રહ્યો છે. જોકે, તેણે ખૂબ જ ઓછી વખત પોતાની કાર્યવાહીને સ્વીકારી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments