Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના કરાચીમાં ખાદ્ય વિતરણ કેન્દ્રમાં ભાગદોડ, 12નાં મૃત્યુ

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2023 (10:37 IST)
પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે રમઝાન નિમિત્તે આયોજિત એક ખાદ્ય વિતરણ કેન્દ્રમાં થયેલી ભાગદોડમાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
 
આ ભાગદોડની શરૂઆત ત્યારે થઈ, જ્યારે કેટલાક લોકોએ અજાણતામાં વીજળીના તાર પર પગ મૂકી દીધો.પોલીસ પ્રમાણે, ત્યાર પછી ધક્કામુક્કી શરૂ થઈ. જેના લીધે ઘણા લોકો પાસે આવેલા નાળામાં પડ્યાં.
 
ત્યાંના એસએસપી અમીરુલ્લાહે ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "શરુઆતમાં વીજળીના તાર પર પગ મૂકવાથી બે લોકોનાં મૃત્યુ થયાં, જેના કારણે ભાગદોડ મચી."
 
કિમારી પોલીસના એક પ્રવક્તાએ શરૂઆતમાં જણાવ્યું હતું કે ઘટનામાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
 
તેમના અનુસાર, ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સંદર્ભે તપાસ ચાલી રહી છે.
 
સિંધ પ્રાંતના મુખ્ય મંત્રી મુરાદઅલી શાહે આ ઘટના વિશે કરાચી પોલીસ આયુક્ત મોહમ્મદ ઇકબાલ મેમણ પાસે રિપોર્ટ માગ્યો છે.
 
થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારી રૅશન વિતરણ કેન્દ્રમાં મફત લોટ લેવા આવેલા 11 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments