Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્વસન ક્રિયા પર નિયંત્રણ

Webdunia
શુક્રવાર, 14 ઑગસ્ટ 2015 (16:39 IST)
અાજની ભાગદોડભરી જિંદગીમાં માણસને શ્વાસ લેવાની પણ ફુરસદ નથી હોતી અેવું કહેવાય છે અને અા ભાગદોડના કારણે લોકો ઘણા બઘા રોગોના ભોગ બને છે ત્યારે વાસ્તવમાં સરખી રીતે શ્વાસ લેવાની અાદત જ તેમને અા રોગોથી બચાવી શકે છે. મતલબ કે જાે તમે તમારી શ્વસન ક્રિયા પર નિયંત્રણ મેળવતાં શીખો તો સ્વસ્થ રહીને લાંબું જીવી શકો. ભારતમાં તો યોગ અને પ્રાણાયામ, શ્વસન ક્રિયા પર નિયંત્રણ દ્વારા લાંબું જીવન જીવવાનો રસ્તો બતાવે જ છે, પણ અાપણે પ્રાણાયામ ન કરતા હોઈઅે ત્યારે પણ શ્વસન ક્રિયા પર નિયંત્રણ રાખવાની અાદત પાડીઅે તો તેના કારણે ઘણા ફાયદા થાય છે.

પ્રાણાયામ અા અાદત પાડવાની પ્રક્રિયાનું પહેલું પગથિયું છે અને દિવસ દરમિયાન સતત તેનો અભ્યાસ કરતા રહેવું જરૂરી છે. લોકો શરીરને મજબૂત બનાવવા કસરત કરે છે, પણ કસરતની સાથે શ્વાસ પર નિયંત્રણ જરૂરી છે તે સમજતા નથી. વાસ્તવમાં કસરત કરતાં પણ વધારે મહત્ત્વની શારીરિક પ્રક્રિયા શ્વસનની છે અને તેના પર નિયંત્રણ મેળવી શકાય તો કસરતની વધારે જરૂર ન પડે.

શ્વસન ક્રિયા પર નિયંત્રણ અે યોગ્ય પ્રમાણમાં ભોજન લેવા જેવી વાત છે. તમે જે રીતે શરીર ટકાવવા ભોજન કરો છો અને અા ભોજન પૂરતાં પ્રમાણમાં લેવું જરૂરી છે તે રીતે હવા પણ પૂરતાં પ્રમાણમાં લેવી જરૂરી છે. ભોજનમાં જે રીતે પોષક તત્ત્વો જ લેવા જરૂરી છે તે રીતે શ્વસનમાં પણ સારી હવા લેવી જરૂરી છે. ભોજનમાં જે રીતે યોગ્ય રીતે ચાવવું જરૂરી છે તે રીતે શ્વસનમાં પણ હવાને લેવી અને તેને બહાર કાઢવાની ક્રિયામાં નિયંત્રણ જરૂરી છે.

શ્વસન ક્રિયા પર નિયંત્રણમાં સાૈથી પહેલી બાબત ઊંડા શ્વાસ લેવા અને પછી અે જ રીતે શરીરમાંથી કર્ાબન ડાયોક્સાઇડ બહાર કાઢવો તે છે. ઊંડા શ્વાસ લેવાથી ફેફસાં મજબૂત બને અને જેનાં ફેફસાં મજબૂત હોય તે લાંબું જીવી શકે. અે રીતે શ્વસન ક્રિયા પર નિયંત્રણ દ્વારા શરીરમાં ઊર્જા ભરી શકાય છે. રોજિંદા જીવનવ્યવહારમાં તમે અસીમ ઊર્જા દ્વારા તરોતાજા જિંદગી જીવી શકો છો. શ્વસન પ્રક્રિયા પ્રાકૃતિક છે. તેના નિયમનમાં તમે જેટલા જાગૃત રહેશો તેટલા તમે સ્વસ્થ રહી શકશો.
શ્વસન ક્રિયામાં નિયંત્રણમાં મહત્ત્વની બાબત શરીર માટે હાનિકારક વાયુઅો શરીરમાં ન જાય તે પણ છે. પ્રદૂષણ વધતું જાય છે અે સંજાેગોમાં પ્રદૂષણયુક્ત વાતાવરણમાં હો ત્યારે પ્રદૂષિત હવા વધારે પ્રમાણમાં શરીરમાં ન જાય અેટલે માટે ટૂંકા શ્વાસ લેવાની અાદત પાડવી પડે. પ્રદૂષણગ્રસ્ત વાતાવરણથી દૂર રહેવું હિતાવહ છે અને બંધિયાર સ્થળોઅે વધુ સમય ન ગાળવો અે અાદર્શ સ્થતિ છે, પણ અેવા વાતાવરણમાં રહેવું પડે ત્યારે શ્વસન પર નિયંત્રણ તમને સ્વસ્થ રાખી શકે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

Show comments