રસોડામાં ઘણા ખાદ્ય પદાર્થોથી ભરેલું એક ભંડાર છે. અહીં મુકવામા આવતી કેટલીક વસ્તુઓનો ઉપયોગ દરરોજ, તો કેટલાકનો ઉપયોગ ક્યારેક-ક્યારેક કરીએ છીએ. પણ શું તમે જાણો છો જે આ વસ્તુઓના પગલે તમારા રસોડામાં ઝેર પણ આવે છે .. જી હા વિશ્વસ નથી થતો તો વાંચો.
જાણો એવી જ કેટલીક વસ્તુઓ વિશે જે તમારા રસોડામાં હમેશા ઉપલબ્ધ હોય છે , પણ આ વસ્તુઓ તમને બીમાર પણ કરી શકે છે. જાણો કઈ છે એ વસ્તુઓ ...
1. બટાટા- ઘરમાં બાકી શાક સાથે સાથે બટાટા હમેશા સ્ટોકમાંં હોય જ છે. પણ બટાટામાં કેટલાક એવા હોય છે , જે ભીનાશવાળા હોય છે અને થોડા સમય પછી એમાંથી અંકુર ફુટવા માંંડે છે. આ બટાટા તમારા આરોગ્યને બગાડી શકે છે.
2. બદામ- આમ તો બદામ મગજના આરોગ્ય અને ત્વચા માટે ફાયદાકારી હોય છે. પણ જો ઘરમાં મુકેલા બદામનો સ્વાદ જરાય પણ કડવો છે, તો એ તમારા માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.
3. જાયફળ - રસોડામાં ક્યારે સ્વાદ તો ક્યારે દવાના રૂપમાં જાયફળ રાખી મુકાય છે. પણ શું તમે જાણો છો આ જાયફળનું સેવન તમારા માટે તનાવનું કારણ બની શકે છે.
એટલુ જ નહી એનું વધારે સેવન હાર્ટ અટેકનું કારણ પણ બની શકે છે. થોડા શોધોમાં આ વાત પણ સામે આવી છે કે આ તમને મનોરોગી પણ બનાવી શકે છે.
4. કાચું કે અસલી મધ- સીધા મધુમાખીના મધપુડામાંથી કાઢેલું મધ તમારા આરોગ્યને નુક્શાન પહોંચાડી શકે છે. એનું પ્રમુખ કારણ છે કે આ શુદ્ધ નથી હોતુ. અને એમાં સૂક્ષ્મ જીવ અને એના કણ તમારા માટે હાનિકારક સિદ્ધ થાય છે.
એના સેવનથી તમને ચક્કર આવવા , ઉલ્ટી થવી , વધારે પરસેવો થવો , ગભરામણ જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે.
5. ફળોના બીજ- ફળ ખાતા સમયે જો તમે ભૂલથી એના બીજ પણ ખાઈ જાવ છો તો આ તમારા શરીરમાં જઈને ઘણી સ્વાસ્થય સબંધી સમસ્યાઓ ઉભી કરી શકે છે.