Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diabetes- ડાયાબિટીસ થવાના લક્ષણો, કારણ અને સારવાર

diabetes
Webdunia
સોમવાર, 23 મે 2022 (00:30 IST)
ડાયાબિટીસ ના લક્ષણો Symptoms of diabetes
ડાયાબિટીસના મુખ્ય લક્ષણો
- વજનમાં ઘટાડો.ખૂબ જ વધારે તરસ લાગવીઅતિશય ભૂખ, તરસ અને પેશાબ.
- થાક, વાછરડામાં દુખાવો.
- વારંવાર ચેપ અથવા વિલંબિત ઘા હીલિંગ.
- કળતર, નિષ્ક્રિયતા આવે છે અથવા હાથપગમાં બળતરા.
- નપુંસકતા.
 
તેનું યોગ્ય સમયે નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં શુગરનું પ્રમાણ વધવાના સંકેતો ત્વચા પર પણ સ્પષ્ટ દેખાય છે. શરીરમાં શુગર લેવલ વધવાને કારણે વ્યક્તિ વારંવાર પેશાબ કરવા લાગે છે. ડાયાબિટીસના કારણે દર્દીના શરીરમાં પાણીનું સ્તર પણ વારંવાર ઘટવા લાગે છે, જેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થાય છે.
ડાયાબિટીસ થવાનું કારણ Causes of diabetes
Diabetes ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ વધારે ગળ્યું ખાવાનું હોય છે. જે લોકો વધારે ગળ્યું ખાય છે, તે લોકોને ડાયાબિટીસ (Diabetes) થઈ જાય છે. સામાન્ય રીતે ૩૦ વર્ષની ઉંમર પછી આ બીમારીથી ગ્રસ્ત થવાનું જોખમ વધારે વધી જાય છે. જોકે આજકાલ નાના બાળકોમાં પણ આ બીમારી મળી આવે છે.
ડાયાબિટીસની સારવાર Diabetes treatments
ડાયાબિટીસની હાલમાં તો કોઈપણ સારવાર નથી. એકવાર ડાયાબિટીસ થવા પર દર્દીને પોતાની ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને ગળી ચીજોનું સેવન બંધ કરવું પડે છે, સાથે જ દરરોજ દવાઓનું સેવન પણ કરવું પડતું હોય છે. વધારે ડાયાબિટીસ થવા પર તો ઇન્જેક્શન પણ લગાવવા પડે છે.
 
ખૂબ જ વધારે તરસ લાગવી
એકદમથી તરસ લાગવી અને વારંવાર પાણી પીવું ડાયાબિટીસના લક્ષણ માનવામાં આવે છે. વારંવાર પાણી પીવાથી સતત બાથરૂમ પણ જવું પડે છે તેથી તમને જો વધારે તરસ લાગે અને વધારે બાથરૂમ જવું પડે તો તમારે ડાયાબિટીસની તપાસ કરી લેવી જોઇએ. કારણકે તે ટાઇપ-૨ ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે.
 
ઇજા ઠીક ના થવી
જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને ઇજા સરળતાથી ઠીક થતી નથી. હકીકતમાં આ રોગ થવા પર ઇજા જલ્દી સારી થતી નથી તેથી ઇજા પહોંચવા પર જો તે ઠીક ના થઈ રહી હોય તો ડોક્ટર પાસે જઈને પોતાની ડાયાબિટીસની તપાસ જરૂર કરાવવી જોઇએ.
 
વજન ઘટી જવું
એકદમથી વજન ઘટી જવું પણ ડાયાબિટીસ થવાના લક્ષણ માનવામાં આવે છે. તેથી વજન ઘટવા પર તેને નજરઅંદાજ ના કરો અને ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ.
 
ધૂંધળું દેખાવું
ડાયાબિટીસને લીધે આંખો પર ખરાબ અસર પડે છે અને ઘણીવાર ધૂંધળું દેખાવા લાગે છે. જો તમને આંખોની સામે કાળા રંગના ધાબા કે પછી ધૂંધળું દેખાવા લાગે તો એકવાર પોતાના ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
 
આ રીતે કરો ડાયાબિટીસને કંટ્રોલ
ડાયાબિટીસ થવા પર તેને સરળતાથી નિયંત્રિત રાખી શકાય છે. ડાયાબિટીસને નિયંત્રિત રાખવા માટે તમારે ગળ્યું ખાવાનું બંધ કરી દેવું જોઈએ.સમયસર ડાયાબિટીસની તપાસ કરાવતી રહેવી જોઈએ અને ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવાઓનું સેવન કરવાનું પણ ના છોડવું જોઈએ.
 
લીમડાના પાન ખાવાથી પણ શરીરમાં શુગરનું સ્તર યોગ્ય જળવાઈ રહે છે. તેથી દરરોજ ઓછામાં ઓછા ૩ થી ૫ લીમડાના પાન ખાવા જોઈએ.
 
ડાયાબિટીસ થવા પર લીલાં શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ અને રોજ દાળ પણ ખાવી જોઈએ.
નિયમિત યોગા કરવા જોઈએ અથવા તો દરરોજ પાર્ક જઈને ઓછામાં ઓછું ૨ કિલોમીટર ચાલવું જોઈએ.
ના કરો આવી ભૂલો
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

આગળનો લેખ
Show comments