Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયરલ ફીવરમાં ન્હાવુ જોઈએ કે નહી ? એક્સપર્ટ પાસેથી જાણો આ બીમારી સાથે જોડાયેલ એવા 2 સામાન્ય સવાલોના જવાબ

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (16:52 IST)
ઋતુ બદલાય રહી છે અને આ બદલતી ઋતુમાં વાયરલ ફીવર એટલે કે તાવ સૌથી વધુ આવે છે. આવામાં સૌથી વધુ જરૂરી છેકે તમે આ બીમારીથી બચીને રહો અને તમારી ઈમ્યુનિટી વધારો. પણ કોઈપણ બીમારીથી બચ વા માટે તેના વિશે યોગ્ય માહિતી હોવી પણ જરૂરી હોય છે. જેવુ કે વાયરલ તાવને લઈને હંમેશા લોકોને સવાલ  હોય છે કે આ વારેઘડીએ કેમ આવે છે.  આ તાવમાં તમારે શુ ખાવુ જોઈએ અને વાયરલ ફીવરમાં ન્હાવુ જોઈએ કે નહી.  
 
1. વાયરલ તાવ વારંવાર કેમ આવે છે ?
ડોક્ટર ગૌરવ જૈન બતાવે છે કે વરસાદની ઋતુમાં વાયરલ તાવના મામલા વધી જાય છે. આ તાવ સંક્રમિત વ્યક્તિથી પણ ફેલાય શકે છે. વાયરલ ફીવરના વાયરસથી સંક્રમિત થતા તે વારેઘડીએ આવે છે. ઉલ્લેખનીય છે કે નબળી રોગ પ્રતિરોધક ક્ષમતાવાળા લોકોમાં વાયરલ ફીવર ઝડપથી વધે છે અને આ મોટેભાગે બાળકો અને વડીલોમાં થાય છે. તેમા સતત તાવ આવતો રહે છે અને ઠંડી સાથે પણ તાવ આવે છે. સંક્રમણ દરમિયાન વાયરસ મ્યુટેટ કરી જાય છે અને બીજીવાર સંક્રમણ થવાની શક્યતા કાયમ રહે છે.  તેથી એક જ માણસને વારેઘડીએ વાયરલ ફીવર થઈ શકે છે. 
 
2. વાયરલ ફીવર હોય તો ન્હાવુ જોઈએ કે નહી ?
વાયરલ ફીવરમાં તમારે ન્હાવાનુ છે કે નથી ન્હાવાનુ કે પછી કેવી રીતે ન્હાવુ જોઈએ કે પછી કેવી રીતે સાફ સફાઈ રાખવી જોઈએ આ વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. આવામાં તમારે સમજવુ જોઈએ કે સાફ સફાઈ ખૂબ જ જરૂરી છે અને તેથી સાધારણ કુણા પાણીમાં કપડા પલાળીને (lukewarm bath for viral fever) સાબુ વડે શરીરને સ્વચ્છ કરવુ જોઈએ. તેનાથી તમે તાવ દરમિયાન માનસિક રૂપથી પણ થોડુ સારુ અનુભવી કરશો.  
 
આ બધી બાબતો ઉપરાંત, વિશેષજ્ઞ કહે છે કે વાયરલ તાવના કિસ્સામાં, વ્યક્તિએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ઘરે પોતાનુ મગજ દોડાવીને કે કેમિસ્ટને પૂછીને દવાઓ લઈને તેને ઠીક કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે આમ કરવાથી વાયરલ લાંબા સમય સુધી સારો થતો નથી. જો કે, તમે ગરમ પાણી, આદુની ચા, ઉકાળો અને વરાળ વગેરે લઈને રક્ષણ મેળવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચારોથી તમને સારું લાગશે પરંતુ તેનાથી તાવ ઓછો થતો નથી અને આવા કિસ્સામાં સારવાર જરૂરી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments