Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stop Eating Onion and Garlic - ડુંગળી લસણ છોડવુ આરોગ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે, જાણો એક મહીના સુધી ન ખાવાની શું થશે અસર ?

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2023 (10:01 IST)
onion garlic
Adhik Sawan 2023: અધિક મહીનો શરૂ થઈ રહ્યો છે અને આવામાં ડુંગળી અને લસણ છોડીને સાત્વિક ભોજન લેવાની પરંપરા રહી છે.   પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ પૂજા પાઠ કે ધાર્મિક તહેવારોમાં ડુંગળી અને લસણ છોડવાની સલાહ કેમ આપવામાં આવે છે. જો તમે ડુંગળી લસણને 1 મહિના માટે છોડી દો તો શું થશે. આ દરમિયાન, તેની શરીર પર શું અસર થાય છે અને તે કેવી રીતે ફાયદાકારક બની શકે છે? આવો, આ તમામ પ્રશ્નો વિશે વિગતવાર જાણીએ.
 
 ડુંગળી અને લસણને ખાવું બંધ કરશો તો શું થશે અસર - What happens when you stop eating onion and garlic
 
1. શું કહે છે આયુર્વેદ ?
 
આયુર્વેદ અનુસાર, ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે  ડુંગળી અને લસણ બંને તેમની તીવ્ર ગંધ જેવી લાક્ષણિકતાઓને કારણે રાજસિક ભોજનની શ્રેણીમાં આવે છે. રાજસિક ખોરાક રાજસ ગુણને જાગૃત કરે છે, જેનાથી મનમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, પ્રચારની ઈચ્છા, સ્વકેન્દ્રીતા અને સાંસારિક આનંદની ઈચ્છા થાય છે. વધુમાં, તે એલિયમ પરિવાર(Allium family) સાથે સબંધ ધરાવે છે અને ફેનોલિક ફાયટોકેમિકલ્સથી ખૂબ સમૃદ્ધ છે, જે શરીરમાં એન્ડ્રોજેનિક એટલે કે યોન ઉત્તેજક પદાર્થ તરીકે કામ કરે છે. આયુર્વેદ અનુસાર, આ બંને એટલે કે ડુંગળી અને લસણનો ઉપયોગ યૌન શક્તિ વધારવા અને વંધ્યત્વ દૂર કરવા માટે થાય છે. આ ખાવાથી કેન્દ્રીય તંત્રિકા તંત્ર સીધી રીતે ઉત્તેજિત થાય છે.
 
2. સાયંસનાં ફેક્ટસ શું છે?
 ડુંગળી અને લસણ FODMAPs ડાયેટમાં આવે છે. આ  ખાંડ અને ફાઇબર જેવા કાર્બોહાઇડ્રેટ્સ છે, જે કે, જે કેટલાક લોકો માટે નાના આંતરડા દ્વારા નબળી રીતે શોષાય છે. તેનું વધુ પડતું ખાવાથી સંવેદનશીલ જીઆઈ ટ્રેક્ટ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને એસિડ રિફ્લક્સ જેવી પરિસ્થિતિઓનાં તમેં ભોગ બની શકો છો, જેને કારણે ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.  
 
1 મહિના સુધી ડુંગળી અને લસણ છોડવાથી ફાયદો  - benefits of leaving onion and garlic
 
એક મહિના માટે ડુંગળી અને લસણને છોડી દેવાથી, તમારું શરીર ડિટોક્સિફિકેશન મોડમાં જાય છે અને પછી તે શરીરમાં સંગ્રહિત ચરબી અને ઊર્જાનો વધુ ઉપયોગ કરે છે. એક રીતે, તે શરીર માટે સ્ક્રબિંગ અને ક્લિન્ઝિંગનું કામ કરે છે. જેના કારણે જાડાપણું, સુગર અને પેટની સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ સિવાય તે તમારી વિચારસરણીમાં પણ ફેરફાર લાવે છે, તમે શાંત થાઓ છો અને તમને સારું લાગે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફરાળી રેસીપી, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ