Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stop Eating Onion and Garlic - ડુંગળી લસણ છોડવુ આરોગ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે, જાણો એક મહીના સુધી ન ખાવાની શું થશે અસર ?

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2023 (10:01 IST)
onion garlic
Adhik Sawan 2023: અધિક મહીનો શરૂ થઈ રહ્યો છે અને આવામાં ડુંગળી અને લસણ છોડીને સાત્વિક ભોજન લેવાની પરંપરા રહી છે.   પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ પૂજા પાઠ કે ધાર્મિક તહેવારોમાં ડુંગળી અને લસણ છોડવાની સલાહ કેમ આપવામાં આવે છે. જો તમે ડુંગળી લસણને 1 મહિના માટે છોડી દો તો શું થશે. આ દરમિયાન, તેની શરીર પર શું અસર થાય છે અને તે કેવી રીતે ફાયદાકારક બની શકે છે? આવો, આ તમામ પ્રશ્નો વિશે વિગતવાર જાણીએ.
 
 ડુંગળી અને લસણને ખાવું બંધ કરશો તો શું થશે અસર - What happens when you stop eating onion and garlic
 
1. શું કહે છે આયુર્વેદ ?
 
આયુર્વેદ અનુસાર, ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે  ડુંગળી અને લસણ બંને તેમની તીવ્ર ગંધ જેવી લાક્ષણિકતાઓને કારણે રાજસિક ભોજનની શ્રેણીમાં આવે છે. રાજસિક ખોરાક રાજસ ગુણને જાગૃત કરે છે, જેનાથી મનમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, પ્રચારની ઈચ્છા, સ્વકેન્દ્રીતા અને સાંસારિક આનંદની ઈચ્છા થાય છે. વધુમાં, તે એલિયમ પરિવાર(Allium family) સાથે સબંધ ધરાવે છે અને ફેનોલિક ફાયટોકેમિકલ્સથી ખૂબ સમૃદ્ધ છે, જે શરીરમાં એન્ડ્રોજેનિક એટલે કે યોન ઉત્તેજક પદાર્થ તરીકે કામ કરે છે. આયુર્વેદ અનુસાર, આ બંને એટલે કે ડુંગળી અને લસણનો ઉપયોગ યૌન શક્તિ વધારવા અને વંધ્યત્વ દૂર કરવા માટે થાય છે. આ ખાવાથી કેન્દ્રીય તંત્રિકા તંત્ર સીધી રીતે ઉત્તેજિત થાય છે.
 
2. સાયંસનાં ફેક્ટસ શું છે?
 ડુંગળી અને લસણ FODMAPs ડાયેટમાં આવે છે. આ  ખાંડ અને ફાઇબર જેવા કાર્બોહાઇડ્રેટ્સ છે, જે કે, જે કેટલાક લોકો માટે નાના આંતરડા દ્વારા નબળી રીતે શોષાય છે. તેનું વધુ પડતું ખાવાથી સંવેદનશીલ જીઆઈ ટ્રેક્ટ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને એસિડ રિફ્લક્સ જેવી પરિસ્થિતિઓનાં તમેં ભોગ બની શકો છો, જેને કારણે ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.  
 
1 મહિના સુધી ડુંગળી અને લસણ છોડવાથી ફાયદો  - benefits of leaving onion and garlic
 
એક મહિના માટે ડુંગળી અને લસણને છોડી દેવાથી, તમારું શરીર ડિટોક્સિફિકેશન મોડમાં જાય છે અને પછી તે શરીરમાં સંગ્રહિત ચરબી અને ઊર્જાનો વધુ ઉપયોગ કરે છે. એક રીતે, તે શરીર માટે સ્ક્રબિંગ અને ક્લિન્ઝિંગનું કામ કરે છે. જેના કારણે જાડાપણું, સુગર અને પેટની સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ સિવાય તે તમારી વિચારસરણીમાં પણ ફેરફાર લાવે છે, તમે શાંત થાઓ છો અને તમને સારું લાગે છે.
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ