Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવાર-સવારે પેટ નથી થતુ સાફ ? ખાલી પેટ ખાઈ લો આ એક ફળ, પેટમાં જમા ગંદકીનો તરત જ થશે સફાયો

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (12:04 IST)
Papaya Health Benefits

પપૈયુ એક એવુ ફળ છે જેને લોકો ખૂબ પ્રેમથી ખાય છે. રસથી ભરપૂર આનો મીઠો સ્વાદ લગભગ દરેક કોઈને પસંદ આવે છે. પણ શુ તમે જાણો છો કે આ ફળ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પણ તેનુ સેવન કરવાથી આપણુ આરોગ્ય પણ સારુ રહે છે. આ ફળ વિટામિન અને મિનરસ્લની સાથે સાથે પોટેશિયમ, ફાઈબર અને ફોલેટ ગુણોથી ભરપૂર છે આ ઉપરાંત તેમા પપેન એંજાઈમ પણ હોય છે જે તમને અનેક સમસ્યાઓથી રાહત અપાવે છે.  ખાસ કરીને જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે તો આ ફળ તમારે માટે અમૃત સમાન છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે સવારના સમયે તેમને મળ ત્યાગમાં ખૂબ જ કઠિનાઈનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સવારના સમયે માત્ર એક કપ પપૈયાનુ સેવન તમારે માટે વરદાન સાબિત થશે. ચાલો આજે અમે તમને તેના ફાયદા વિશે બતાવીએ. 
 
પપૈયામાં પેપેન એંજાઈમ રહેલુ હોય છે. પેપેન ઈંજાઈમ ભોજનને પચાવવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી બૂસ્ટરનુ કામ કરે છે. રોજ સવારે ખાલી પેટ પપૈયાનુ સેવન કરવાથી પાચન ઝડપથી થાય છે. પપૈયાથી તમારુ શરીર ડિટોક્સ થાય છે. તેને ખાવાથી શરીરના વેસ્ટ પદાર્થ સહેલાઈથી બહાર નીકળી જાય છે. સાથે જ જે લોકોને સવાર સવારે મળ ત્યાગવામાં કઠિનાઈનો સામનો કરવો પડે છે  તેમને માટે આ ફળ અમૃત સમાન છે. તેનુ સેવન કરવાથી તમને મળ ત્યાગવામાં સહેલાઈ રહેશે.  આ ઉપરાંત જો તમે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓથી પીડિત છો તો આનુ સેવન જરૂર કરો. તેના સેવનથી તમારી પાચન ક્રિયા મજબૂત થશે અને પેટના પીએચ લેવલનુ પણ બેલેંસ કાયમ રહેશે. 
 
આ પરેશાનીઓમાં કારગર છે પપૈયુ 
 
- દિલ માટે આરોગ્યપ્રદ - જો તમારુ કોલેસ્ટ્રોલ વધી ગયુ છે તો પપૈયાને ખાલી પેટ ખાવ. આ ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરી શકે છે. પપૈયામાં પોટેશિયમ પણ હોય છે. જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે. તેને ખાવાથી હાર્ટ અટેક, સ્ટ્રોક, કોરોનરી હાર્ટ ડિસીઝથી તમે તમારો બચાવ કરી શકો છો. 
 
વજન ઘટાડવમાં મદદરૂપ - ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે પપૈયુ વજન ઓછુ કરવામાં સહાયક હોય છે. તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે અને એકસ્ટ્રા ચરબી ઓછી થાય છે.  સવારના નાસ્તામાં પપૈયાને સ્લાઈટમાં કાપીને તેના પર સંચળ અને કાળા મરીનો પાવડર નાખીને પણ ખાઈ શકો છો. 
 
ઈમ્યુનિટી બનાવે મજબૂત - જો તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી છે તો તમારે રોજ પપૈયાનુ સેવન કરવુ જોઈએ. પપૈયામાં રહેલા એંટીઓક્સીડેંટ તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે આ ફળ ખાલી પેટ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે અને તમે બીમારીઓ અને ઈંફેક્શનની ચપેટમાં આવવાથી બચ્યા રહો છો. 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments