Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવાર-સવારે પેટ નથી થતુ સાફ ? ખાલી પેટ ખાઈ લો આ એક ફળ, પેટમાં જમા ગંદકીનો તરત જ થશે સફાયો

Papaya Health Benefits
Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (12:04 IST)
Papaya Health Benefits

પપૈયુ એક એવુ ફળ છે જેને લોકો ખૂબ પ્રેમથી ખાય છે. રસથી ભરપૂર આનો મીઠો સ્વાદ લગભગ દરેક કોઈને પસંદ આવે છે. પણ શુ તમે જાણો છો કે આ ફળ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પણ તેનુ સેવન કરવાથી આપણુ આરોગ્ય પણ સારુ રહે છે. આ ફળ વિટામિન અને મિનરસ્લની સાથે સાથે પોટેશિયમ, ફાઈબર અને ફોલેટ ગુણોથી ભરપૂર છે આ ઉપરાંત તેમા પપેન એંજાઈમ પણ હોય છે જે તમને અનેક સમસ્યાઓથી રાહત અપાવે છે.  ખાસ કરીને જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે તો આ ફળ તમારે માટે અમૃત સમાન છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે સવારના સમયે તેમને મળ ત્યાગમાં ખૂબ જ કઠિનાઈનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સવારના સમયે માત્ર એક કપ પપૈયાનુ સેવન તમારે માટે વરદાન સાબિત થશે. ચાલો આજે અમે તમને તેના ફાયદા વિશે બતાવીએ. 
 
પપૈયામાં પેપેન એંજાઈમ રહેલુ હોય છે. પેપેન ઈંજાઈમ ભોજનને પચાવવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી બૂસ્ટરનુ કામ કરે છે. રોજ સવારે ખાલી પેટ પપૈયાનુ સેવન કરવાથી પાચન ઝડપથી થાય છે. પપૈયાથી તમારુ શરીર ડિટોક્સ થાય છે. તેને ખાવાથી શરીરના વેસ્ટ પદાર્થ સહેલાઈથી બહાર નીકળી જાય છે. સાથે જ જે લોકોને સવાર સવારે મળ ત્યાગવામાં કઠિનાઈનો સામનો કરવો પડે છે  તેમને માટે આ ફળ અમૃત સમાન છે. તેનુ સેવન કરવાથી તમને મળ ત્યાગવામાં સહેલાઈ રહેશે.  આ ઉપરાંત જો તમે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓથી પીડિત છો તો આનુ સેવન જરૂર કરો. તેના સેવનથી તમારી પાચન ક્રિયા મજબૂત થશે અને પેટના પીએચ લેવલનુ પણ બેલેંસ કાયમ રહેશે. 
 
આ પરેશાનીઓમાં કારગર છે પપૈયુ 
 
- દિલ માટે આરોગ્યપ્રદ - જો તમારુ કોલેસ્ટ્રોલ વધી ગયુ છે તો પપૈયાને ખાલી પેટ ખાવ. આ ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરી શકે છે. પપૈયામાં પોટેશિયમ પણ હોય છે. જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે. તેને ખાવાથી હાર્ટ અટેક, સ્ટ્રોક, કોરોનરી હાર્ટ ડિસીઝથી તમે તમારો બચાવ કરી શકો છો. 
 
વજન ઘટાડવમાં મદદરૂપ - ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે પપૈયુ વજન ઓછુ કરવામાં સહાયક હોય છે. તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે અને એકસ્ટ્રા ચરબી ઓછી થાય છે.  સવારના નાસ્તામાં પપૈયાને સ્લાઈટમાં કાપીને તેના પર સંચળ અને કાળા મરીનો પાવડર નાખીને પણ ખાઈ શકો છો. 
 
ઈમ્યુનિટી બનાવે મજબૂત - જો તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી છે તો તમારે રોજ પપૈયાનુ સેવન કરવુ જોઈએ. પપૈયામાં રહેલા એંટીઓક્સીડેંટ તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે આ ફળ ખાલી પેટ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે અને તમે બીમારીઓ અને ઈંફેક્શનની ચપેટમાં આવવાથી બચ્યા રહો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments