Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં કારગર સાબિત થાય છે સરસવનું તેલ

Webdunia
શનિવાર, 24 ડિસેમ્બર 2016 (01:35 IST)
સરસવના બી ખૂબ લાભદાયક છે . એમાં કેલોરી ઓછી અને ડાયેટ વેલ્યુ વધારે હોય છે. એની સુગંધ ખૂબજ મોહક હોય છે. આ એક મહત્વપૂર્ણ મસાલો છે. ભારતમાં ઘણા વ્યંજનોમાં એનો  વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે  છે. 
 
સરસવનું તેલ સરસવના બીયામાંથી  કાઢવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ બ્રાસિકા નિગ્રા છે. રસોઈ બનાવવા ઉપરાંત આનો  પ્રયોગ ઘણી પારંપરિક પ્રક્રિયાઓમાં પણ કરવામાં આવે છે. જેમ કે પવિત્ર દીવો પ્રગટાવવો  વગેરે. સરસવના  તેલમાં લગભગ 60 ટકા મોમોસિચ્યુરિએટ ફેટી એસિડ અને 20 ટકા પોલી અનસેચુરેટિડ એસિડ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરનું  સંતુલન બનાવી રાખવા હૃદય રોગોના ખતરાને ઓછો કરી શકાય છે.

લાભ - 
 
1. સરસવના  તેલમાં વિટામિન એ, વિટામિન ઈ , પ્રોટીંસ અને એંટી આક્સીડેંટ રહેલ હોય છે. આ તત્વો વાળ માટે લાભદાયક છે. વાળના વિકાસ માટે સરસવનું  તેલ એક  ઉત્પ્રેરક રીતે કામ કરે છે. એમાં રહેલ વિટામિન્સ એ  વાત જણાવે છે કે વાળનો વિકાસ તેજીથી અને સ્વાસ્થ્યપ્રદક રીતે થાય છે અને વાળ ખરતાં નથી . આ વાળ માટે એક સુરક્ષિત અને પ્રાકૃતિક કંડીશનર છે અને આનાથી વાળ સિલ્કી અને સાફ્ટ બને છે. 
 
2. સરસવના  તેલમાં રહેલા ફેટી એસિડસ એને સારું વાઈટલાઈજર બનાવે છે. કારણકે આ તેલ વાળની મૂળોને પોષણ આપે છે. વાળનો ગ્રોથ વધારવા માટે અને વાળ ખરતાં અટકાવા માટે નિયમિત રીતે એની માલિશ કરવી જોઈએ. 
 
3. સરસવના તેલમાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણ રહેલા  હોય છે. જયારે ભોજનના માધ્યમથી સરસવનું તેલનું સેવન કરાય છે. આ પાચન પ્રણાલીના  બધા ભાગ જેમ કે પેટ આંતરડા અને યુરિનરી ટ્રેકટની ઈંફેકશનથી આપણો બચાવ કરે છે. એનો  ઉપયોગ એંટી બેક્ટીરિયલ તેલના રૂપમાં પણ કરાય છે.  ફંગશ ઈફેક્શનથી બચવા માટે આ તેલ સીધુ સ્કીન પર  લગાવી શકાય છે. 
 
4. જો સરસવના  તેલનો નિયમિત રીતે સેવન કરાય  તો આ માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવમાં ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે. કહેવાય છે કે આ પાચક રસની પણ પૂર્તિ કરે છે. જે આપણા યોગ્ય પાચનમાં સહાયક હોય છે.  જે લોકો ઉંઘરસ- શરદી ,અસ્થમા અને સાયનસથી પીડિત છે ,તેમને સરસવનું તેલ ખૂબ જ લાભદાયક છે. 
 
5. સરસવના તેલનો  ઉપયોગ માલિશ માટે કરાય છે. કારણ કે એવું કહેવાય છે કે આ લોહીના પ્રવાહ,માંસપેશિયોને મજબૂત કરે  છે અને ત્વચાની સુડોલતાને વધારવામાં સહાયક છે. 
 
6.  પેઢા પીળા થઈ ગયાં હોય અને તેમાંથી લોહી અને પસ આવતો હોય તેમજ દુ:ખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી સરસોનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મુકી દો. આને અડધા કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો. અડધા કલાક સુધી ધીમે ધીમે થુંકતા રહો અને ત્યાર બાદ પાણીથી કોગળા કરી લો. આ ખુબ જ અસરકારક પ્રયોગ છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments