Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Food- વરસાદના મૌસમમાં બીમાર કરશે ખાવાની આ 8 વસ્તુઓ

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (15:57 IST)
Monsoon Food- વરસાદના મૌસમ જેટલું રોમાંટિક હોય છે તેમાં રોગો વધવાનો ખતરો પણ તેટલુ જ વધારે હોય છે .આ મૌસમમાં લોકો વાયરલ શરદી-ખાંસી અને ફ્લૂ જેવા રોગોની ચપેટમાં જલ્દી આવી જાય છે. ડાક્ટર્સ કહે છે કે વરસાદના મૌસમમાં દરેક વય્ક્તિને તેમના ખાન-પાનનો ખાસ કાળજી રાખવી જોઈએ. વરસાદના મૌસમમાં ખાવાની કેટલીક વસ્તુઓથી પરહેજ કરવો જોઈએ. 
 
લીલી શાકભાજી 
વરસાદમાં મેથી, બથુઆ, રીંગણા, ફુલાવર જેવી શાકભાજી ખાવાથી પરેજ કરવો જોઈએ. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ માનીએ તો વરસાદમાં બેકટીરિયા અને ફંગસ ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. લીલી પાંદળાવાળા શાકભાજીના વચ્ચે કીડા લાગી જાય છે તેનો સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. તેથી આ મૌસમમાં આ શાકભાજીથી પરહેજ કરવું. 
 
સ્ટ્રીટ ફૂડ 
માનસૂનનો મોસમ ઘણા રોગોના ડર હોય છે. તેમાં ડેંગૂ અને વાયરલ જેવા રોગો તીવ્રતાથી લોકોની ચપેટમાં લે છે ડાક્ટર્સ મુજબ વરસાદના મૌસમમાં ક્યારે પણ ખુલ્લા ફળ કે કોઈ બીજા ખાવાની વસ્તુઓ આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. તેથી અમે બહારથી મળતા સ્ટ્રીટ ફૂડથી પણ બચવું જોઈએ. 
 
તળેલુ ખાવાથી બચવું 
વરસાદના મૌસમમાં તળેલો ખાવાથી બચવું. આ  પ્રકારના ભોજન શરીરમાં પ્રવેશ કરી પિત્ત વધારે છે. બીજુ આ મૌસમમાં લોકોનો ડાયજેશન પણ ધીમો થઈ જાય છે તેથી ભજીયા, સમોસા કે તળેલી વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ જે ડાયરિયા અને ઈનડાયજેશનની મુશ્કેલીઓ વધારી શકે છે. 
 
ડેયરી પ્રોડક્ટસ 
વરસાદના મૌસમમાં દહીં જેવા ડેયરી પ્રોડક્ટસનો નિયમિત ઉપયોગ કરવાથી બચવું જોઈએ. વરસાદમાં ખાવા-પીવાની વસ્તુઓમાં બેકટીરિયા હોઈ શકે છે. જે માનસૂનમાં ખૂબ વધી જાય છે. તેને ખાવાથી તમને પેટથી સંકળાયેલી તકલીફ થઈ શકે ચે. દહીંમાં પણ બેકટીરિયા હોય છે તેથી વરસાદમાં સેવન ઓછુ કરવુ જોઈએ. 
 
માછલી 
માનસૂનમાં માછલી કે પછી બીજા સમુદ્રી જીવો માટે પ્રજનનનો સમય હોય છે. આ કારણે આ મૌસમમાં માછલી ખાવાથી ફૂડ પ્વાઈજનિંગનો ખતરો વધી શકે છે. તે સિવાય વરસાદના મૌસમમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓના ઉપર ગંદગી એકત્ર થઈ જાય છે. તેથી આ માછલીઓનો સેવન કરવાથી આરોગ્યને નુકશાન થઈ શકે છે. 
 
મશરૂમ 
ડાક્ટર્સ જણાવે છે કે વરસાદના મૌસમમં મશરૂમના સેવનથી પણ પરહેજ કરવો જોઈએ. સીધા દ્જરતી પર ઉગતી મશરૂમમાં ઈંફેક્શન થવાનો ખતરો વધારે રહે છે. 
 
કાચુ સલાદ 
તમને સાંભળીને હેરાની થઈ રહી હશે કે આરોગ્ય માટે ફાયદાકારી કહેવાતી સલાદને પણ આ મૌસમમાં શા માટે નહી ખાવુ જોઈએ. સલાદ જ નહી પણ વરસાદના મૌસમમાં કોઈ પણ વસ્તુ કાચી ખાવાથી બચવું. તે સિવાય કાપીને રાખેલા ફળ અને શાકભાજીનો પણ સેવન ન કરવું કારણકે તેમાં કીટક થવાનો ખતરો રહે છે. 
 
વધારે નૉનવેજ 
વરસાદના મૌસમમાં અમારી પાચન ક્રિયા  નબળી થઈ જાય છે. તેથી વધારે ભારે ભોજન પચાવવામાં મુશ્કેલી હોય છે તેથે આ મૌસમમાં નૉનવેજ ખાવાથી બચવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments