Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કોવિડની રિકવરીમાં તમારા ડાયેટમા કેમ સામેલ કરવુ જોઈએ પનીર

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (08:19 IST)
નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે કોવિડનું સંક્રમણ હવાથી ફેલાય રહ્યુ છે. જેના કારણે આપણે સોશિયલ ડિસ્ટેસિગનુ પાલન કરવા છતા લોકો તેના સંકજામાં આવી રહ્યા છે. આવામાં માસ્ક જ સૌથી યોગ્ય છે. આમ  હોવા છતાં,તમે કોવિડથી સંક્રમિત થઈ જઆવ છો તો તમારી ઈમ્યુનિટી જ તમને બચાવી શકે છે. 
રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં પ્રોટીન સૌથી મહત્વનું છે. પનીર તમારી આ તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરી શકે છે. કોવિડ રિકવરીમાં તમારે જાણવુ જોઈએ કે રોજ કેટલુ પનીર ખાવુ જોઈએ. 
 
શરીર માટે શા માટે મહત્વપૂર્ણ છે  પ્રોટીન
પ્રોટીનની ઉણપથી વારંવાર ભૂખ અને ચીડચીડાપણુ થાય છે.
જો શરીરને પૂરતું પ્રોટીન ન મળે તો વાળ અને નખ પાતળા થઈ જાય છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તમે સરળતાથી બીમાર પડી શકો છો.
પ્રોટીનની કમીથી માનસિક થાક, ડાયાબિટીઝ અને શરીરના ધીમા વિકાસ માટે પણ જવાબદાર છે.
જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે, તો તમને કોઈ પણ રોગમાંથી સ્વસ્થ થવામાં લાંબો સમય લાગે છે.
નિંદ્રા અને વજનમાં વધારો એ શરીરમાં પ્રોટીનની અભાવના ગેરફાયદો પણ છે.
 
કોવિડની રિકવરીમાં કેમ ખાસ છે પનીર 
પનીરમાં રહેલુ પ્રોટીન આપણને ઝડપી રિકવરી આપે છે અને આપના ઘા ને પણ જલ્દી ભરે છે. તમે આ તમારી NCRT ના પુસ્તકોમાં પણ વાંચ્યું હશે કે પ્રોટીન આપણા શરીરના ગ્રોથમાં અને આપણા ટિસ્યુઓને રિપેયર કરવામાં મદદ કરે છે, જેથી આપણે રોગથી જલ્દી સ્વસ્થ થઈ જઈએ છીએ. પનીર પ્રોટીનનુ  ઉત્તમ સ્રોત છે.
 
પનીર ખાવાના અન્ય લાભ 
 
તેમાં પુષ્કળ પ્રોટીન હોય છે જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે.
પનીર ખાવાથી, ઝડપી શારીરિક અને માનસિક વિકાસ થાય છે. તેમાં ઓમેગા -3 હોય છે જે મગજ માટે ખૂબ સારું ગણાય છે.
તેમાં રહેલ કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
યોગ્ય માત્રામાં પનીરનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલનું પ્રમાણ સંતુલિત રહે છે.
 
દિવસે ક્યારે ખાવુ જોઈએ પનીર 
 
કાચા પનીરનુ સેવન નાસ્તો અને લંક કરવાના એક કલાક પહેલા કરો. તેનથી તમને જરૂરી ઉર્જા મળે છે.  ઉપરાંત, રાત્રે સૂવાના એક કલાક પહેલા પણ પનેરનુ સેવન કરો. કારણ કે સૂતી વખતે શરીરને ખોરાકને પચાવવા માટે સૌથી વધુ પ્રોટીનની જરૂર હોય છે અને પનીરમાં પુષ્કળ પ્રોટીન હોય છે.
 
પનીરનુ વધુ સેવન પણ બને છે નુકશાન દાયક 
 
પનીરનુ વધુ સેવન ન કરો કારણ કે કોઈપણ વસ્તુની અતિ તમને નુકસાન પહોંચાડે છે. પનીર દૂધથી બને છે, તો તેને વધુ ખાવાથી કોલેસ્ટરોલનું જોખમ રહેલું છે. તેથી પનીરનું મર્યાદિત માત્રામાં સેવન કરો. પ્રોટીન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી પ્રોટીનને પ્રાકૃતિક રૂપમાં જ લો. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments