Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kahwa Tea Benefits: શિયાળામાં જરૂર પીવો કાશ્મીરની ફેમસ કાહવા ટી, શરીરને મળશે અનેક ફાયદા

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (15:35 IST)
kahva tea
Kashmiri Kahwa Tea Benefits in Gujarati: શિયાળામાં ચા અને કોફી નુ સેવન અધિક માત્રામાં કરવામાં આવે છે.  આ ઋતુમાં કોઈ દૂધવાળી ચા પીવે છે તો કોઈ હર્બલ યા ગ્રીન ટી પીવે છે.  આ ઉપરાંત અનેક લોકો મસાલાથી બનેલ ચા પીવો પણ પસંદ કરે છે.  મસાલાથી બનેલ ચા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે.  તેનાથી શરીરની ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે.  તેનાથી શરીરની ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે અને તમને બતાવી દઈએ કે  અને શરદી ખાંસીથી બચાવ થાય છે.  તમને બતાવી દઈએ કે કાશ્મીરમાં શિયાળાની ઋતુમાં શિયાળાની ઋતુમાં કહવા ચા નુ વધુ સેવન કરવામાં આવે છે.  આ એક હર્બલ ટી છે. જેને મસાલા અને ડ્રાઈ ફ્રુટ્સથી તૈયાર કરવામાં આવે છે. આ એક સુગધિત ચા છે. કહવા ટી ની તાસીર ખૂબ જ ગરમ થાય  છે. તેથી શિયાળા માટે કહવા ટીને લાભકારી માનવામાં આવે છે.  તમે પણ શિયાળામાં કહવા ટી નુ સેવન કરી શકે છે.  કહવા ટી પીવાના ફાયદા અને રેસીપી  - 
 
શિયાળામાં કહવા પીવાના ફાયદા - Benefits of Kahwa Tea in Winters in Gujarati
1. રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે 
શિયાળામાં શરીરની ઈમ્યૂનિટી નબળી પડી જાય છે. જેને કારણ એ વ્યક્તિને અનેક પ્રકારની મોસમી બીમારીઓનો સામનો કરવો પડે છે. આવામાં તમે કહવા ટી ને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.  કહવા ટી પીવાથી શરીરની ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. તેનાથી મોસમી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. કહવા ટી પીવાથી ઈફ્કેશન અને બીમારીથી બચવામાં પણ મદદ મળે છે. 
 
2. ડાયજેશન માટે લાભકારી 
શિયાળામાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું વધુ પડતું સેવન પાચનતંત્રમાં ખલેલ પહોંચાડે છે. જેના કારણે અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે પાચનને મજબૂત કરવા માટે કાહવાની ચાનું સેવન કરી શકો છો. કાહવાની ચા પીવાથી પાચનતંત્ર સુધરે છે. આનાથી પાચન સંબંધી ગંભીર સમસ્યાઓથી પણ રાહત મળે છે.
 
3. ઝેરીલા પદાર્થોને કરે બહાર 
શિયાળામાં લોકો મોટાભાગે વધારે ખાય છે. જેના કારણે શરીરમાં ઝેરી પદાર્થો જમા થાય છે. જો તમે શિયાળામાં કાહવાની ચાનું સેવન કરો છો તો તેનાથી ઝેરીલા પદાર્થો સરળતાથી દૂર થઈ જશે. કાહવાની ચા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ ચા પીવાથી ઈન્ફેક્શનથી પણ રક્ષણ મળે છે.
 
4. વેટ લોસમાં મદદરૂપ 
શિયાળામાં વજન ઘટાડવું એ એક મોટું ટાસ્ટ હોય છે. કાશ્મીરી કહવા ચા વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે નિયમિતપણે કાહવાની ચા પીઓ છો, તો તે શરીરમાં સંગ્રહિત વધારાની ચરબીને ઓગાળી નાખશે. તેમાં કેલરી પણ ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે, માત્ર કાહવાની ચા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળતી નથી. વજન ઘટાડવા માટે, તમારે તમારા આહાર અને કસરતની દિનચર્યા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
 
5. તનાવ ઓછુ કરવામાં મદદરૂપ 
જો તમે ચિંતા કે તનાવથી ઘેરાયા છો તો શિયામાં કહવા ચા પી શકો છો. કહવા ટી મૂડને સારો બનાવવામાં મદદ કરે છે. તેનાથી માનસિક સંતુલ ન સારુ થાય છે. અને મૂડ સ્વિંગ્સ પણ દૂર થાય છે. કહવા ટી પીવાથી તનાવને દૂર કરવામાં મદદ મળે છે. 
 
કહવા ટી બનાવવાની રીત - How to Make Kahwa Tea in Gujarati
 
કહવાની ચા બનાવવા માટે તજ, લવિંગ અને લીલી ઈલાયચીને વાટી લો.
આ પછી બદામ અને અખરોટના નાના ટુકડા કરી લો.
હવે પાણી લો અને તેમાં બધા મસાલા અને ગુલાબની પાંદડીઓ ઉમેરો.
તેને સારી રીતે પકાવો અને પછી તેને ગાળીને પી લો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments