Biodata Maker

CFL બલ્બ છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, આ જાણકારી તમારા માટે..

Webdunia
રવિવાર, 21 ઑક્ટોબર 2018 (08:48 IST)
આમ તો આપણે બધા જાણીએ છીએ કે CFL બલ્બ કેટલી વીજળી બચાવે છે, પણ મોટાભાગના લોકો એ નથી   જાણતા કે આ બલ્બમાં પારો હોય છે જે શરીરમાં જવાથી ખૂબ ઘાતક સિદ્ધ થાય છે. સ્મિથે આવા જ એક બલ્બના ઠંડા થવાની રાહ ન જોઈ અને તેણે હોલ્ડરમાંથી કાઢીને બદલવાની કોશિશ કરી. તે ગરમ હોવાથી તેના હાથમાંથી  છટકીને જમીન પર પડી ગયો. ધરતી પર પડતા જ બલ્બ તૂટી ગયો અને કાંચના ટુકડા વિખરાય ગયા. સ્મિથ ઉઘાડા પગે હતો અને અંધારામાં તેનો પગ કાચના ટુકડા પર મુકાય ગયો અને બલ્બમાં રહેલો પારો ઘાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી ગયો.  જેને કારણે  2 મહીના સુધી તેને ICUમાં રાખવો પડ્યો અને હવે એને પોતાનો પગ ગુમાવવાનો ડર છે. 
CFL ના સંબંધમાં આ એક જ ખતરો નથી પણ બીજી અનેક બાબતો પર જેના વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ CFLના તૂટતા પર કરવું - 
 
1. ક્યારે પણ CFL ને તરત જ ન બદલશો પણ તેના ઠંડો થવાની રાહ જુઓ.
 
 
2. CFL તૂટી જતા તરત જ રૂમમાંથી નીકળી જાઓ, ધ્યાન રાખો કે પગ કાંચના ટુકડા પર ન પડે. 
3. પંખો,એસી  વગેરે બંધ કરી દો જેથી પારો ફેલાય ન જાય. 
 
4. ઓછામાં ઓછા 15-20 મિનિટ પછી રૂમમાં પ્રવેશ કરીને તૂટેલા કાંચને સાફ કરો. પંખો બંધ રાખો અને મોઢું ઢાંકીને રાખો. હાથના મોજા અને કાર્ડબોર્ડની મદદથી કાંચને એકત્ર કરો. સાવરણીનો  ઉપયોગ ન કરશો.. તેનાથી પારો ફેલાવવાનો ભય રહે છે. કાંચના બારીક કણને ટેપની મદદથી ચોંટાડીને સાફ કરો. 
 
5. કચરા ફેંક્યા બાદ સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહી.  
 
6. જો કોઈ કારણસર વાગી ગયુ હોય તો તરત જ ચિકિત્સકને બતાવો અને તેમને તમારા ઘા વિશેની સાચી અને  સંપૂર્ણ માહિતી આપો. 
 
સીસુ અને આર્સેનિકથી પણ વધુ ઝેરીલો અને ઘાતક હોય છે પારો. આથી CFLનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાની રાખો.  આ માહિતી વધુથી વધુ લોકોને શેયર કરો અને બીજાને તેનાથી થતી દુર્ઘટનાથી બચાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાન સ્વદેશ પરત ફરશે, T20 વર્લ્ડ કપ 2026 માટે તેમની યાત્રા સમાપ્ત

નરેન્દ્ર મોદી કેટલા સમય સુધી રહેશે PM ? આ ભવિષ્યવાણીએ બધાની ઉડાવી છે ઉંઘ, જાણો 3 મહત્વપૂર્ણ બાબતો

PM મોદીનો સાણંદમાં ઐતિહાસિક રોડ-શો: રૂ. 22,516 કરોડના માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

Bank Holidays in March 2026: કુલ 18 દિવસ બેંકો રહેશે બંધ, UP મા સતત 5 દિવસ બેંકોની રજા, જાણો બાકી રાજ્યોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

GSSSB નો મોટો નિર્ણય: CCE ભરતીમાં વધુ 914 જગ્યાઓનો વધારો, હવે કુલ 7,338 પદો પર થશે ભરતી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments