Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાને કેટલા સમય સુધી ઉકાળવી જોઈએ? જો આના કરતા વધુ ઉકાળશો તો બની જશે નુકશાનદાયક

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2024 (00:48 IST)
How Long to boil Tea
ભારતમાં મોટાભાગના લોકો કડક ચા પીવાનું પસંદ કરે છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ દૂધવાળી ચા પીવી પસંદ કરો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ચા બનાવતી વખતે થોડીક બેદરકારી તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
 
ચા ક્યાં સુધી ઉકાળવી ?
જો તમે દૂધની ચા બનાવતા હોય  તો તમારે દૂધ ઉમેર્યા પછી તેને 2 થી 3 મિનિટથી વધુ સમય સુધી ઉકાળવાનું ટાળવું જોઈએ. જો ચામાં ઉમેરવાનું દૂધ પહેલેથી જ ગરમ હોય, તો તમે ઉકળતા સમયને થોડો ઘટાડી શકો છો. જો તમે દૂધ સાથે ચાને ત્રણ મિનિટથી વધુ સમય માટે ઉકાળો છો, તો તમારી ચાનો સ્વાદ કડવો થઈ શકે છે.
 
સ્વાસ્થ્ય માટે હાનિકારક
દૂધની ચા  લાંબા સમય સુધી ઉકાળવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર નેગેટીવ અસર પડી શકે છે. લાંબા સમય સુધી ઉકાળેલી ચા પીવાથી તમને એસિડિટી, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે ચાને ત્રણ મિનિટથી વધુ સમય સુધી ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.
 
ચાને વારંવાર ગરમ ન કરો
તમારે ચા સર્વ કરવાના થોડા જ સમયમાં તેને પીવી જોઈએ. કેટલાક લોકો  જ્યારે તેમની ચા ઠંડી થાય છે તો તેને ફરીથી ગરમ કરે છે અને પીવે છે. પરંતુ ચાને વારંવાર ગરમ કરવાની આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ રીતે વારંવાર ચા ગરમ કરીને પીવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત ચાને ફરીથી ગરમ કરવાથી તેનો સ્વાદ પણ બદલાઈ શકે છે, તેથી ચાને એક જ વારમાં સર્વ કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments