Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે પણ મુકો છો ફ્રિજમાં ઈંડા ? આ 5 વાતો જાણ્યા પછી નહી કરો આ ભૂલ

Webdunia
શુક્રવાર, 1 મે 2020 (12:16 IST)
બાળપણથી જ તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે જો લીલી શાકભાજી અને ડેરી ઉત્પાદનો ફ્રિજમાં મુકવામાં આવે તો તે વધુ સમય બગડે નહીં. પરંતુ શું તમે જાણો છો કે આ ઇંડા પર લાગુ થતુ  નથી. જી હા , ફ્રિજમાં મુકેલા ઇંડા તેમારા આરોગ્યને બનાવવાને બદલે તમારું આરોગ્ય બગાડી શકે છે. સાંભળીને નવાઈ લાગે છે ને ? તો વાંચો આ સમાચાર 
 
સંક્રમણનું જોખમ - ઘણી વખત ઇંડાની છાલ ગંદકીથી ઢંકાયેલી રહે છે. તેને રેફ્રિજરેટરમાં મુકવાથી  તેમા મુકેલી અન્ય વસ્તુઓને સંક્રમણ લાગવાનો ખતરો રહે છે તેથી ઇંડા ફ્રિજમાં મુકવાનું ટાળવું જોઈએ.
 
ફ્રિજની બહાર મુકેલા ઇંડા વધુ સ્વસ્થ - તમને જાણીને આશ્ચર્ય થશે કે ફ્રીજમાં મુકેલા ઇંડા કરતા બહાર મુકેલા ઇંડા વધુ દિવસ  તાજા રહે છે. તાપમાન વધુ  ઠંડુ હોવાને કારણે ફ્રિજમાં મુકેલા ઈંડા પોતાના કેટલાક પોષક તત્વો ગુમાવી દે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે સજાગ છો તો આટલુ જાણી લો કે  રૂમ ટેમ્પરેચરમાં મુકેલા ઈંડા ફ્રિજમાં મુકેલા ઇંડા કરતાં વધુ આરોગ્યપ્રદ હોય છે.
 
બેક્ટેરિયાનું જોખમ- એકવાર ઇંડાને રેફ્રિજરેટરમાં મુક્યા પછી તેને સામાન્ય તાપમાન પર મુકવાથી કંડેનસેશન એટલે કે ગેસમાંથી લિકવિડ બનવાની પ્રક્રિયા.
ની આશંકા વધી જાય છે. કંડેનસેશનને કારણે  ઇંડાની છાલ પર રહેલા બેક્ટેરિયા ઝડપથી વધી જાય છે એટલુ જ નહી તે ઇંડામાં પણ પ્રવેશી શકે છે. આ
પ્રકારના ઇંડાનું સેવન આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે
 
તાપમાન - જો તમે બેકિંગ પ્રોડક્ટ્સ માટે ઇંડા વાપરવા માંગતા હોય તો સારુ રહેશે કે તમે ઈંડાને  ફ્રિજમાં મુકવાનું ટાળો. તેનુ કારણ છે કે  બહાર મુકેલા ઈંડા કરતા રેફ્રિજરેટરમાં મુકેલા ઈંડાને ફેંટવા મુશ્કેલ હોય છે. એટલુ જ નહીં, ફ્રિજમાં મુકેલા ઇંડાનો ઉપયોગ કરવાથી ખોરાકના રંગ અને સ્વાદમાં પણ ફરક આવી શકે છે.
 
તૂટવાનો ભય - જો તમે બજારમાંથી લાવેલા ઇંડાને તરત જ ઉકળવા માટે મુકો છો તો તેના છાલટા તૂટવાનુ જોખમ ઘટે છે. તો બીજી બાજુ ફ્રિજમાં મુકેલા  ઇંડા જો તમે બાફવા મુકશો તો તેના છાલટા તૂટવાની શક્યતા વધુ રહે છે

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments