Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબિટીસના દર્દીઓ માટે આ સંજીવની જડીબુટી સમાન, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

giloy
Webdunia
બુધવાર, 27 માર્ચ 2024 (00:13 IST)
આપણી બગડતી લાઈફસ્ટાઈલ અને ખાનપાને આપણા શરીરને પેશન્ટ બનાવી દીધુ છે. હાલના દિવસોમાં દેશ દુનિયામં મોટાભાગના લોકો લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલ બીમારીથી ગ્રસિત છે. આ બીમારીઓમાથી એક છે ડાયાબિટીઝ  એક રિસર્ચ મુજબ ભારતમાં યુવાનોમાં ડાયાબિટીસનું જોખમ 12 થી 18 ટકા વધી ગયું છે. આ આંકડા શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં ડાયાબિટીસ દુનિયામા 7મો સૌથી ખતરનાક રોગ બનવા જઈ રહ્યો છે. ડાયાબિટીસમાં ખાણી-પીણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ખાસ કરીને આપણે મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ. પણ શું તમે જાણો છો? આપણા આયુર્વેદમાં એવી ઘણી દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવીને તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આજે અમે તમને એક આવી જ  જડીબુટ્ટી વિશે જણાવીશું જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
 
ગિલોય છે સંજીવની સમાન 
ગિલોય એક આયુર્વેદિક ઔષધિ છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવાની સાથે સાથે  અનેક પ્રકારની બીમારીઓમાંથી પીછો છોડાવવા મા કારગર છે.  ઉલ્લેખનીય છે કે  આયુર્વેદમાં, ગિલોયને 'મધુનાશિની' તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે 'ખાંડનો નાશ કરનાર'. તે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જે બદલામાં શુગર કંટ્રોલ કરવામાં ખૂબ અસરકારક છે. ગિલોય ડાયાબિટીસ તેમજ અલ્સર અને કિડનીની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે. આયુર્વેદ અનુસાર ગિલોયનો ઉકાળો, પાવડર અથવા જ્યુસનું સેવન બ્લડ સુગર ઘટાડવા માટે કરી શકાય છે.
 
ડાયાબિટિસના દર્દી આ રીત કરે ગિલોયનુ સેવન 
 
- ડાયાબિટીસના દર્દી રોજ સવારે ખાલી પેટ ગિલોયનુ જ્યુસ પી શકે છે. સૌથી પહેલા તમે ગિલોયને 4-5 પાન અને તેનુ થોડી ડાળખી લઈને તેનુ જ્યુસ બનાવો. તમે ચાહો તો આ જ્યુસન એ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા ખીરાકાકડી, ટામેટા પણ નાખી શકો છો.  
 
- ગિલોયનો ઉકાળો બ્લડ સુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ગિલોયની દાંડી લો, તેને સારી રીતે ધોઈ લો અને ગરમ પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય તો ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો અને પછી તેનું સેવન કરો.
- ગિલોયના દાંડીના રસ અને બેલના એક પાન સાથે થોડી હળદર ભેળવીને દરરોજ એક ચમચી જ્યુસ પીવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

આગળનો લેખ
Show comments