Dharma Sangrah

સ્તનોને સ્વસ્થ રાખવા માટે મહિલાઓ દરરોજ કરવુ આ આસનનો અભ્યાસ

Webdunia
રવિવાર, 2 મે 2021 (08:56 IST)
ત્રિકોણાસન કરતા શરીરની મુદ્રા ત્રિકોણની સમાન જોવાય છે. તેથીઆ આસનનો નામકરણ કરાયુ છે. ત્રિકોણાસન મહિલાઓ માટે ખૂબ જરૂરી અને લાભકારી આસન છે. વધતી છોકરીઓને આ આસનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. તેનાથી તેને ખૂબ ફાયદો પહોચાડે છે. બીજા લોકો માટે પણ ત્રિકોણાસન કરવુ ખૂબ ફાયદાકારી છે. તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ ત્રિકોણાસન કરવાનો સાચી રીતે અને તેનાથી થતા લાભ 
ત્રિકોણાસન કરવાની રીત
-સીધા ઉભા થઈને તમારા પગના વચ્ચે થોડી દૂરી બનાવી લો. સુનિશ્ચિત કરો કે તમારા પંજા જમીનને દબાવતા રહેવું અને શરીરનો ભાર બન્ને પગ પર સમાન રૂપથી હોય. ત્યારબાદ તમારી બાજુને શરીરથી દૂર ખભા સુધી ફેલાવો. શ્વાસને અંદર લેતા જમણા હાથને ઉપર ઉઠાવીને કાનથી ચિપકાવી દો. હવે ડાબા પગને બહારની તરફ વળી લો. હવે શ્વાસને બહાર છોડતા કમરથી ડાબી બાજુ તરફ વળવું. ઝુકતા સમયે તમારા ઘૂંટણ ન વળવું અને જમણા હાથ કાનથી ચિપકાવીને રાખવું. હવે તમારા જમણા હાથને જમીનના સમાંતર લાવવાના પ્રયાસ કરો અને તમારા ડાબા હાથથી ડાબા ઘૂટણને અડવાની કોશિશ કરવી. આ મુદ્રામાં 20 થી 30 સેકંડ સુધી રહેવું. 
 
લાભ 
- ત્રિકોણાસનના નિયમિત અભ્યાસથી પાચનતંત્ર સુધરે છે. 
- મહિલાઓ જો તેનો સાચી રીતે અભ્યાસ કરે છે તો તેમના સ્તન સ્વસ્થ રહે છે.
- તનાવ અને અવસાદથી છુટકારો મેળવવામાં પણ ત્રિકોણાસન ખૂબ પ્રભાવશાળી છે. 
- કમરના દુખાવા દૂર કરવા માટે પણ આ આસનને કરાય છે. 
- હાથ, પગ અને ઘૂંટણને મજબૂત કરવા માટે પણ આ આસનનિ અભ્યાસ કરાય છે. 
 
સાવધાનીઓ 
- જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો આ આસન ન કરવું. 
- ડાયરિયામાં પણ ત્રિકોણાસન કરવુ યોગ્ય નથી.
- ઉચ્ચ કે નિમ્ન રક્તચાપના સમયે યોગ પ્રશિક્ષકની સલાહ વગર આ આસનનો અભ્યાસ ન કરવું.  
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments